‘દરેક ‘એનઆરજી’ ગુજરાતનો બ્રાન્ડ એમ્બેસેડર’
અમદાવાદ,
4
ફેબ્રુઆરીઃ
ગુજરાત
ચેમ્બર્સ
ઓફ
કોમર્સ
એન્ડ
ઇન્ડસ્ટ્રી(જીસીસીઆઇ)નું
નોન
રેસિડેન્ડ
ગુજરાત(એનઆરજી)
સેન્ટર
અને
ગુજરાત
સ્ટેટ
એનઆરજી
ફાઉન્ડેશન
દ્વારા
ગત
ગુરુવારે
જીસીસીઆઇની
ઓફીસે
એનઆરજી
સમ્મેલન
યોજવામાં
આવ્યું
હતું.
જેમાં
રાજ્યમાં
હાજર
રહેલા
300
કરતા
પણ
વધુ
એનઆરજી
ત્યાં
હાજર
રહ્યાં
હતા.
જેને
લઇને
ગુજરાતના
કાયદા
મંત્રી
પ્રદિપસિંહ
જાડેજાએ
કહ્યું
છે
કે,
દરેક
એનઆરજી
ગુજરાતનો
બ્રાન્ડ
એમ્બેસેડર
છે
અને
તેમની
ઉન્નતિ
એ
ગુજરાતનું
ગૌરવ
છે.
આ તકે જીએસએનઆરએફના ડિરેક્ટર એન પી લાવિન્ગિયાએ જણાવ્યું છે કે, એનઆરજી પાસેથી જે ફંડ એકઠું કરવામાં આવ્યું છે, તેનો ઉપયોગ ત્રણ મેજર સેક્ટરમાં કરવામાં આવે છે. આ મેજર સેક્ટરમાં સ્કિલ ડેવલોપમેન્ટ, હેલ્થકેર અને વિક્લાંગ લોકોનું કલ્યાણનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત જીસીસીઆઇ ચેરમેન શંકર પટેલ દ્વારા એનઆરજીઓને વિવિધ દેશોમાં વિઝા સહિતના મુદ્દે જે સહન કરવું પડે છે, તે અંગેની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે 2.5 કરોડ ભારતીયો વિદેશમાં વસે છે, જેમાં 60 લાખ જેટલા ગુજરાતીઓ છે.