રોકાણકારોને આકર્ષવા માટે આવતીકાલે ગાંધીનગર આવશે PM
ગાંધીનગર, 7 જાન્યુઆરી: 13મો પ્રવાસી ભારતીય દિવસ સમારોહ આજથી શરૂ થઇ રહ્યો છે. આ પ્રવાસી ભારતીય દિવસ 9 જાન્યુઆરી સુધી ચાલશે. આ સમારોહ આજે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે શરૂ થશે. વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 8 જાન્યુઆરીના રોજ આ સમારોહનું ઔપચારિક ઉદઘાટન કરશે. ઉપ રાષ્ટ્રપતિ હામિદ અંસારી 9 જાન્યુઆરીના રોજ થનાર સમારોહ સમારોહમાં હાજર રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર આ વખતે પ્રવાસી ભારતીય દિવસ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યાને 100 વર્ષ પુરા થયા હોવાને લઇને ઉજવી રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી પણ આજે માંડી સાંજે ગાંધીનગર પહોંચશે.
ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મંગળવારે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઠ જાન્યુઆરીથી શરૂ થનાર ત્રિદિવસીય પ્રવાસી ભારતીય દિવસમાં ભાગ લેવા માટે આવતી કાલે અહીં આવશે અને તેમના આગમન પર એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
આનંદીબેન પટેલે કહ્યું હતું કે 'નરેન્દ્રભાઇ આઠ જાન્યુઆરીના રોજ સવારે પ્રવાસી ભારતીય દિવસનું ઉદઘાટન કરશે. તે આવતીકાલે નવ વાગે અહી આવશે. અમે એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરીશું.' તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સવારે 8:30 વાગે મહાત્મા મંદિરમાં 'દાંડી કુટિર'નું ઉદઘાટન અક્રશે અને લગભગ 10:00 વાગે પ્રવાસી ભારતીય દિવસનું ઉદઘાટન કરશે.
આનંદીબેન પટેલે કહ્યું હતું કે 'તે ભોજન બાદ જતા રહેશે' પ્રવાસી ભારતીય દિવસ સાતથી નવ જાન્યુઆરીના રોજ આયોજિત કરવામાં આવશે જ્યારે 'વાઇબ્રન્ટ ગુજરાત સમિટ'નું આયોજન મહાત્મા મંદિરમાં 11 થી 13 જાન્યુઆરી સુધી થશે. નરેન્દ્ર મોદી 11 જાન્યુઆરીના રોજ 'વાઇબ્રન્ટ ગુજરાત સમિટ'નું ઉદધાટન કરશે. ભાજપની ગુજરાત એકમ પહેલાં જ તૈયારીઓ કરી ચૂકી છે અને એરપોર્ટ પર નરેન્દ્ર મોદીના ભવ્ય સ્વાગતનો નિર્ણય કર્યો છે.
ભાજપની ગુજરાત એકમના પ્રવક્તા આઇ કે જાડેજાએ કહ્યું હતું કે ''જ્યારે ગુજરાતની સાથે-સાથે આખા દેશના ગૌરવ વડાપ્રધાન અમદાવાદ આવી રહ્યાં છે તો ભાજપ કાર્યકર્તા સામાન્ય નાગરિક અને ઘણા શુભચિંતકો અહીં તેમનું ભવ્ય સ્વાગત કરશે. આ ઉપરાંત રાજ્યના ઘણા મંત્રી, ભાજપના પદાધિકારી અને ઘણા સ્થળો ઘણા સ્થાનિક નેતાઓ પણ તેમનું અભિવાદન કરશે.' પ્રવાસી ભારતીય દિવસનું આયોજન પહેલીવાર ગુજરાતમાં કરવામાં આવી રહ્યું છે જ્યારે 'વાઇબ્રન્ટ ગુજરાત સમિટ'ની શરૂઆત નરેન્દ્ર મોદીએ 2003માં રાજ્યના મુખ્યમંત્રી તરીકે કરી હતી.
વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આજે સાંજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ ફેર અને પ્રવાસી ભારતીય દિવસ પ્રદર્શનીનું ઉદઘાટન કરશે. ગુજરાત સરકારના 13મા પ્રવાસી ભારતીય દિવસને મહાત્મા ગાંધીના દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યાને 100 વર્ષ પુરા થવાની ખુશીના રૂપમાં ઉજવવામાં આવી રહ્યો છે.
પ્રવાસીઓને
પીએમની
ભેટ
રાષ્ટ્રપતિ
પ્રણવ
મુખર્જીએ
વધુ
એક
ખરડો
પાસ
કર્યો
છે.
રાષ્ટ્રપતિએ
પીઆઇઓ
અને
ઓસીઆઇ
કાર્ડના
વિલય
સાથે
જોડાયેલા
નાગરિકતા
ખરડા
પર
સહી
કરી.
મોદી
સરકારે
રાષ્ટ્રપતિની
પાસે
વિદેશમાં
રહેનાર
ભારતીય
મૂળના
લોકોની
નાગરિકતા
સાથે
જોડાયેલા
ખરડો
મોકલ્યો
હતો.
ખરડાના
માધ્યમથી
ભારતેય
નાગરિકતા
કાનૂનમાં
સુધારો
કરી
સરકારે
PIO
અને
OCI
કાર્ડનું
વિલય
કરવામાં
આવ્યું.
વિલય
બાદ
હવે
PIO
કાર્ડવાળાને
પણ
તે
બધી
સુવિધા
મળી
શકશે
જે
OCI
કાર્ડવાળાને
મળે
છે.
OCI
કાર્ડવાળાને
તાઉમ્ર
વીઝા
અને
ભારતમાં
કામ
કરવાની
પરવાનગી
હોય
છે.
નવા
કાર્ડનું
નામ
ઇન્ડિયન
ઓવરસીઝ
કાર્ડ
હશે.