Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પાકની નાપાક હરકત, ભારતીય માછીમારની ગોળી મારી કરી હત્યા

ભારતે પાકિસ્તાનની મેરીટાઇમ સિક્યોરિટી એજન્સી અથવા PMSA દ્વારા બિન ઉશ્કેરણીજનક ગોળીબારમાં ભારતીય માછીમારની હત્યાની સખત નિંદા કરી છે.

ભારતે પાકિસ્તાનની મેરીટાઇમ સિક્યોરિટી એજન્સી અથવા PMSA દ્વારા બિન ઉશ્કેરણીજનક ગોળીબારમાં ભારતીય માછીમારની હત્યાની સખત નિંદા કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતીય માછીમારી બોટ પરના વ્યક્તિએ શનિવારના રોજ બોટ પર ગોળીબાર કર્યા બાદ પાકિસ્તાની દળોએ ઠાર માર્યો હતો, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

સૂત્રએ ઓળખ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, "અમે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. અમે આ મુદ્દાને પાકિસ્તાની પક્ષ સાથે રાજદ્વારી રીતે ઉઠાવવા જઈ રહ્યા છીએ. આ મામલો તપાસ હેઠળ છે અને વધુ વિગતો સમયસર મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવશે." આ ઘટનામાં અન્ય એક માછીમાર ઘાયલ થયો હતો. હાલ ઓખાની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

Pakistan

દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક સુનીલ જોશીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના એક માછીમાર, જે ફિશિંગ બોટ 'જલપરી' પર હતા, PMSA કર્મચારીઓએ શનિવારની સાંજે તેમના અને અન્ય ક્રૂ સભ્યો પર ગોળીબાર કર્યો હતો, જેમાં તેમનું મૃત્યુ થયું હતું.

આ ઉપરાંત જોશીએ જણાવ્યું હતું કે, બોટમાં સાત માણસો હતા. માર્યા ગયેલા માછીમાર 32 વર્ષીય શ્રીધર રમેશ ચામરેનો મૃતદેહ રવિવારના રોજ ઓખા બંદરેલાવવામાં આવ્યો હતો અને નવી બંદર પોલીસમાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ અથવા એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી, જે અરબી સમુદ્રમાં 12 નોટિકલ માઇલથી

આગળ બનેલી કોઈપણ ઘટના અંગે સમગ્ર ગુજરાતમાં અધિકારક્ષેત્ર ધરાવે છે.

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વડરાઈ ગામના રહેવાસીઓ, જ્યાં પાકિસ્તાન દ્વારા માર્યા ગયેલા માછીમાર રહેતા હતા, તેઓ કહે છે કે તેઓ આ ઘટના વિશે સાંભળીને

દુઃખી છે. માછીમારી બોટના માલિક જયંતિભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, રમેશ ચામરે બોટની કેબિનમાં હતા ત્યારે તેમને ગોળીઓ વાગી હતી.

રાઠોડે પત્રકારોને જણાવ્યું હતું કે, "ત્રણ ગોળીઓ તેને છાતી પર વાગી હતી, જેના પગલે તે મૃત્યુ પામ્યો હતો. પાકિસ્તાની સૈનિકો દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબારમાં બોટનો કેપ્ટન પણ ઘાયલ થયો હતો". વર્ષોથી પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારી બોટ પર ગોળીબાર અને ભારતીય માછીમારોની અટકાયતની ઘટનાઓ સમયાંતરે નોંધાઈ છે.

ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં પાકિસ્તાને સ્વીકાર્યું હતું કે, 270 માછીમારો અને 49 નાગરિક કેદીઓ, જેઓ ભારતીય છે અથવા ભારતીય હોવાનું માનવામાં આવે છે, તેમની જેલમાં છે. આ જ સમયગાળા દરમિયાન 77 પાકિસ્તાની માછીમારો અને 263 પાકિસ્તાની નાગરિક કેદીઓ ભારતની કસ્ટડીમાં હતા, એમ સરકારે રાજ્યસભામાં જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2012માં ઇટાલિયન ધ્વજવાળા ઓઇલ ટેન્કરમાં સવાર બે ઇટાલિયન મરીન્સે ભારતના વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર (EEZ) માં કેરળના દરિયાકાંઠે માછીમારીની બોટ પર રહેલા બે ભારતીય માછીમારોને ગોળી મારી દીધી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X