સુરતમાં કેજરીવાલનો વિરોધ યથાવત, કંઈક આવા અંદાઝમાં
અરવિંદ કેજરીવાલ હાલ સતત ચર્ચામાં રહ્યા કરે છે, સર્જીકલ સ્ટ્રાઇકના પુરાવા હોઈ કે પછી પંજાબનું ઈલેક્શન. હાલમાં કેજરીવાલ ગુજરાતને લઈને ફરી ચર્ચામાં આવી ગયા છે. વાત આમ છે કે અરવિંદ કેજરીવાલ 16 ઓક્ટોબરે ગુજરાતમાં રેલીને સંબોધન કરવા જઈ રહ્યાં છે.

સુરતમાં કેજરીવાલના આગમનનો વિરોધ યથાવત છે અગાઉ કેજરીવાલના આગમનના પોસ્ટર પર કાળા કૂચડા મરાયા હતા જ્યારે હવે એવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે કે ''અહીં એક એક ઘર ભાજપનું છે માટે કેજરીવાલે અહીં પગ મૂકવો નહીં.''

સુરત આવી રહેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનો સતત વિરોધ થઈ રહ્યો છે. 16 ઓક્ટોબરે કેજરીવાલ જનમેદનીને સંબોધવાના છે. તે પહેલા કેજરીવાલના વિરોધમાં સુરતના વરાછા વિસ્તારમાં પોસ્ટર લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલની સુરત મુલાકાત નક્કી થઈ ત્યારથી સતત તેનો વિરોધ થઈ રહ્યો છે.












Click it and Unblock the Notifications
