ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર સામે અરજી, ગુજરાત હાઇકોર્ટે સુનાવણીનો કર્યો ઇન્કાર
ગુજરાત હાઇકોર્ટ દ્વારા બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર શાસ્ત્રીના આગામી કાર્યક્રમ અંતર્ગત પોલીસને નિર્દેશ આપવાની માંગ કરનારી જનહીતની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાની ના પાડી દેવામાં આવી છે.
અરજીકર્તાએ ગુજરાત હાઇકોર્ટ પાસે માંગ કરી હતી કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના આગામી કાર્યક્રમો દરમિયાન સાંપ્રદાયિક તણાવને વધારો કરનારી કોઇ ગતિવિધિ ન થાય, આ અંગે પોલીસને નિર્દેશ જાહેર કર્યા છે. જોકે, હાઇકોર્ટે જનહીતની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાની ના પાડી દીધી હતી.

અરજદારે વિનંતી કરી હતી કે, ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર કાર્યક્રમ 26 મેથી શરૂ થવાનો છે. પિટિશનર એડવોકેટ કે. આર. કોષ્ટીએ કોર્ટને જણાવ્યું હતું કે, ગુજરાતના ચાર શહેરોમાં સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં 26 મેથી 7 જૂન સુધી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાનાર છે.
અરજદારે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, ગુજરાત સરકારે તહસીન પૂનાવાલા કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનો અમલ કર્યો નથી, જેમાં સર્વોચ્ચ અદાલતે દ્વેષપૂર્ણ ભાષણો કરનારાઓ સામે પગલાં લેવાની માર્ગદર્શિકા આપી હતી.
અરજદારે ગુજરાત હાઈકોર્ટને ભડકાઉ અને દ્વેષપૂર્ણ ભાષણો આપનારાઓ સામે પગલાં લેવા માટેના નિર્દેશની પણ માંગ કરી છે, જેઓ નફરતભર્યા ભાષણો દ્વારા રાજ્યમાં સમુદાયોમાં સાંપ્રદાયિક તણાવ પેદા કરવા માગે છે.
અરજદારે દલીલ કરી હતી કે, રાજસ્થાનના ઉદયપુરમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ કથિત દ્વેષપૂર્ણ ભાષણ માટે કેસ નોંધવામાં આવ્યો છે. તેમજ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહારમાં તેમના કાર્યક્રમો બાદ તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
