દિલ્હી નહી પરંતુ બ્રિટેન ગુજરાતની કદર કરે છે: નરેન્દ્ર મોદી

ઉલ્લેખનીય છે કે વર્ષ 2002માં ગુજરાતના સમખાણો બાદ બ્રિટેને ગુજરાત સાથે વિદેશી રોકાણના મુદ્દે ભાગીદારી કરી ન હતી. પરંતુ હવે તે દિલ ખોલીને રોકાણ કરવા માંગે છે. જેની પહેલ પર મોદીએ ટિ્વટર પર લખ્યું હતું કે હું ગુજરાત સાથે સક્રિય ભાગીદારી અને સંબંધો વિશે બ્રિટીશ સરકારના નિર્ણયનું સ્વાગત કરું છું. ભગવાન મહાન છે. આજે બ્રિટીશ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. દેર આયે પર દુરસ્ત આયે. ગુજરાતમાં સૌથી વધુ રોકાણ બ્રિટનનું છે.
કેન્દ્ર સરકાર તરફથી ક્યારેય ગુજરાતને શાબાશી આપવામાં આવી નથી. કેન્દ્ર સરકારે હંમેશા બેવડુ વર્તન દાખવ્યું છે. મોદીએ કહ્યું હતું કે દિલ્હીમાં સો દેશોના નેતા એક મંચ પર એકસાથે ક્યારેય જોવા મળ્યા નથી. પરંતુ 'વાઇબ્રન્ટ ગુજરાત સમિટ'માં 120 દેશોના નેતા એક સાથે આવ્યાં હતા. નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અમારી સાથે હોત તો ભારતનું નામ ઘણું ઊંચું હોત અને ગુજરાતની પ્રજાને એ સમસ્યાઓનો સામનો કરવો ન પડતો જે આ આજે સહન કરી રહી છે.












Click it and Unblock the Notifications
