કચ્છના રાજવી પરિવારના મોભી પ્રાગમલજી ત્રીજાનુ નિધન
કચ્છના રાજવી પરિવારના મોભી પ્રાગમલજી ત્રીજાનુ 28 મેના રોજ નિધન થઈ ગયુ.
કચ્છના રાજવી પરિવારના મોભી પ્રાગમલજી ત્રીજાનુ 28 મેના રોજ વહેલી સવારે ભુજમાં તેમના નિવાસ સ્થાન રણજિત વિલા પેલેસમાં નિધન થઈ ગયુ છે. તેમણે બે દિવસ પહેલા જ ગુજરાતી તિથિ મુજબ 85 વર્ષ પૂર્ણ કર્યા હતા. કચ્છના અંતિમ મહારાવ મદન સિંહજીના અવસાન પછી રાજવી પરંપરાના ભાગ રૂપે 1991ની 17મી ઓક્ટોબરના રોજ તેમની તિલક વિધિ થઈ હતી. તેમની અંતિમ યાત્રામાં કોવિડ ગાઈડલાઈન મુજબ અગ્રણીઓ જોડાયા હતા. વિવિધ ક્ષેત્રે ઘણા અગ્રણીઓ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. પ્રાગમલજીના નિધનથી સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રવર્તી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે પ્રાગમલજી છેલ્લા ઘણા સમયથી પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત હતા. કેન્સરની દવાઓની આડ અસરના કારણે તેમનુ નિધન થયુ હોવાની તેમના વારસદાર કુંવર ઈન્દ્રજીત સિંહે માહિતી આપી છે. થોડા સમય પહેલા તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા અને તેમની તબિયત વધુ બગડી હતી. મહારાજાના અંતિમ સંસ્કાર રાજ પરંપરા અનુસાર કરવામાં આવ્યા. તેઓ જાડેજા વંશજના વારસદાર હતા. મોટાભાગે તેઓ મુંબઈ અને લંડનમાં રહેતા હતા. તેમણે કચ્છને અલગ રાજ માટે માંગણી કરી હતી. કચ્છના વિકાસ, ઈતિહાસ અને સંસ્કૃતિ માટે તેઓ જીવનભર પ્રયાસરત રહ્યા. તેઓ લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતા.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
