કચ્છના રાજવી પરિવારના મોભી પ્રાગમલજી ત્રીજાનુ નિધન
કચ્છના રાજવી પરિવારના મોભી પ્રાગમલજી ત્રીજાનુ 28 મેના રોજ નિધન થઈ ગયુ.
કચ્છના રાજવી પરિવારના મોભી પ્રાગમલજી ત્રીજાનુ 28 મેના રોજ વહેલી સવારે ભુજમાં તેમના નિવાસ સ્થાન રણજિત વિલા પેલેસમાં નિધન થઈ ગયુ છે. તેમણે બે દિવસ પહેલા જ ગુજરાતી તિથિ મુજબ 85 વર્ષ પૂર્ણ કર્યા હતા. કચ્છના અંતિમ મહારાવ મદન સિંહજીના અવસાન પછી રાજવી પરંપરાના ભાગ રૂપે 1991ની 17મી ઓક્ટોબરના રોજ તેમની તિલક વિધિ થઈ હતી. તેમની અંતિમ યાત્રામાં કોવિડ ગાઈડલાઈન મુજબ અગ્રણીઓ જોડાયા હતા. વિવિધ ક્ષેત્રે ઘણા અગ્રણીઓ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. પ્રાગમલજીના નિધનથી સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રવર્તી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે પ્રાગમલજી છેલ્લા ઘણા સમયથી પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત હતા. કેન્સરની દવાઓની આડ અસરના કારણે તેમનુ નિધન થયુ હોવાની તેમના વારસદાર કુંવર ઈન્દ્રજીત સિંહે માહિતી આપી છે. થોડા સમય પહેલા તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા અને તેમની તબિયત વધુ બગડી હતી. મહારાજાના અંતિમ સંસ્કાર રાજ પરંપરા અનુસાર કરવામાં આવ્યા. તેઓ જાડેજા વંશજના વારસદાર હતા. મોટાભાગે તેઓ મુંબઈ અને લંડનમાં રહેતા હતા. તેમણે કચ્છને અલગ રાજ માટે માંગણી કરી હતી. કચ્છના વિકાસ, ઈતિહાસ અને સંસ્કૃતિ માટે તેઓ જીવનભર પ્રયાસરત રહ્યા. તેઓ લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતા.