સ્વામીનારાયણના પૂજારી પર BJPનો પ્રચાર કરવા માટે થયો હુમલો
સ્વામીનારાયણ સંપ્રદાયના પૂજારી અને કથાકાર ભક્તિ પ્રસાદ પર જૂનાગઢમાં અજ્ઞાત લોકોએ કર્યો હુમલો. જો કે ભાજપનો આક્ષેપ છે કે કોંગ્રેસી કાર્યકર્તાઓ આ પાછળ જવાબદાર છે. વધુ વાંચો.
ગુજરાતના જૂનાગઢમાં સ્વામી નારાયણ મંદિરના પુજારી તેવા સ્વામિનારાયણના કથાકાર ભક્તિ સ્વામી પર બે અજ્ઞાત લોકોએ જીવલેણ હુમલો કર્યો છે. આ હુમલામાં સ્વામી ભક્તિપ્રસાદ ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયા છે. અને તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે તે ભાજપ માટે પ્રચાર કરી રહ્યા હતા. તે સમયે જ તેમની હુમલો થયો. ભાજપનો પ્રચાર કરી પરત ફરી રહેલા ભક્તિ સ્વામી પર હુમલો કરવામાં આવ્યો હતો. અંગ્રજી ચેનલ ટાઇમ્સ નાઉની ખબર મુજબ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તેમ જણાવવામાં આવી રહ્યું છે. પણ ભાજપે આ હુમલા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓનો વાંકી નીકાળ્યો છે.

નોંધનીય છે કે ગુજરાતના જૂનાગઢની વિસાવદરની સીટ પર 14 ડિસેમ્બરે ચૂંટણી થવાની છે. આ સીટમાં વર્ષ 1985 થી 2012 સુધી ભાજપના વરિષ્ઠ નેતા કેશુભાઇ પટેલ ધારાસભ્ય રહી ચૂક્યા છે. અને 2014માં કેશુભાઇ આ સીટ પરથી રાજીનામું આપ્યું હતું. જે પછી પેટા ચૂંટણીમાં આ સીટ પરથી કોંગ્રેસ જીત્યું હતું. જો કે પોલીસનું કહેવું છે કે આ મામલે હજી તપાસ થઇ રહી છે. અને અપરાધીની ઓળખ હજી નથી થઇ શકી. પણ પોલીસે જલ્દી જ આરોપીને પકડવાની વાત કરી હતી. ત્યારે સ્વામી ભક્તિ પ્રસાદે આ હુમલા પછી મીડિયા ચેનલને જણાવ્યું કે આ હુમલો મારી પર નથી થયો પણ આપણી સનાતન સંસ્કૃતિ પર છે. આપણે રાષ્ટ્રવાદ અને હિંદુત્વની વાત કરીશું. અને હિંદુ વિરોધી તાકાતને હરાવીશું. સ્વામીએ સાથે તેમ પણ કહ્યું હતું કે હુમલાખોરોએ રાષ્ટ્રવાદ અને હિંદુત્વ પર બોલવાની ના પાડી હતી. અને હુમલો કરતી વખતે પણ તે આવું જ બોલી રહ્યા હતા.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
