ગુજરાતમાં વધ્યા યુપી-બિહારના લોકો પર હુમલા, 342 વ્યક્તિઓની ધરપકડ

ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં 14 મહિનાની બાળકી સાથે બળાત્કારનો મામલો સામે આવ્યા બાદ ગુજરાતમાં બિન ગુજરાતીઓ પર હુમલા વધી ગયા છે.

ગુજરાતમાં ફરીથી એક વાર નોન ગુજરાતીઓ પર હુમલા વધી ગયા છે. ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં 14 મહિનાની બાળકી સાથે બળાત્કારનો મામલો સામે આવ્યા બાદ ગુજરાતમાં બિન ગુજરાતીઓ પર હુમલા વધી ગયા છે. ખાસ કરીને યુપી-બિહારના લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ મામલે અત્યાર સુધીમાં 42 કેસ ફાઈલ થઈ ચૂક્યા છે. વળી, 342 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.

up bihar attack

બિન ગુજરાતીઓ પર થઈ રહેલા હુમલાઓના કારણે લોકો પોતાના રાજ્યમાં પાછા જવા માટે મજબૂર થઈ રહ્યા છે. ગુજરાતમાં બહારના લોકો પર હિંસાના આ મામલામાં કુલ 6 જિલ્લાઓ પ્રભાવિત થયા છે. સૌથી વધુ મહેસાણમા અને સાબરકાંઠા જિલ્લા પ્રભાવિત થયા છે. મહેસાણામાં આ મામલે અત્યાર સુધીમાં 89 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વળી, સાબરકાંઠામાં 95 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ અમદાવાદમાં 73 વ્યક્તિ અને ગાંધીનગરમાં 27 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર નફરતવાળી અને ભડકાઉ પોસ્ટ કરવાના આરોપમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રવિવારે બિન ગુજરાતીઓ પર કોટાંબી અને કામરોલ ગામના 17 લોકોએ હુમલા કરી દીધા. સુરક્ષાની તમામ પ્રકારની વ્યવસ્થા છતાં બિન ગુજરાતીઓ પર હુમલા ઘટી નથી રહ્યા. ઉલ્લેખનીય છે કે 28 સપ્ટેમ્બરે 14 મહિનાની બાળકી સાથે બળાત્કાર મામલે એક બિહારી યુવકની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર યુપી-બિહારના લોકો પર નફરતભર્યા સંદેશ વાયરલ થઈ ગયા. ત્યારબાદ બિન ગુજરાતીઓ ખાસ કરીને યુપી-બિહારના લોકો સામે હિંસા ભડકી ગઈ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X