Salangpur Controversy : સાળંગપુર વિવાદનો અંત, હટાવાયા ભીંતચિત્રો, સનાતની સંતો લડી લેવાના મુડમાં
Salangpur Controversy: બોટાદમાં આવેલા સાળંગપુરમાં હનુમાનજીના વિવાદાસ્પદ ભીંતચિત્રો મંગળવારના રોજ હટાવવામાં આવ્યા હતા. આ હટાવવા અંગેની જાહેરાત સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા કરવામાં આવ્યું હતું. જોકે, સનાતની સંતો દ્વારા વિરોધ ચાલી રહ્યો છે, અને મંગળવારના રોજ લીંબડીમાં સંમેલન યોજાવાનું છે.

નૌતમ સ્વામીને વિદેશ મોકલવાની ચર્ચા - સનાતની સંતોના બહિષ્કારના એલાન બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો માથું નમાવતા જોવા મળે છે. ઉશ્કેરણીજનક નિવેદનો કરવા બદલ નૌતમ સ્વામીને વિદેશ મોકલવાની ચર્ચા છે. હિન્દુ ધર્મ આચાર્ય સભાના સંતોએ અમદાવાદમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે બેઠક યોજી હતી.
મુખ્યમંત્રીને મળ્યા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો - અગાઉ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ મળ્યા હતા. સોમવારની સાંજે સ્વામિનારાયણ વડતાલના સંત પરમાનંદ સ્વામી અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના ચૈતન્ય શંભુ મહારાજે મીડિયાને જણાવ્યું હતું કે, મંગળવારના રોજ સૂર્યોદય પહેલા સલંગપુર મંદિરમાં વિવાદિત ભીંતચિત્રો હટાવી દેવામાં આવશે.
સ્વામિનારાયણ સંતોને ચેતવણી આપવામાં આવી છે કે, તેઓ કોઈપણ ઉશ્કેરણીજનક અને સનાતન ધર્મ વિરોધી નિવેદનો ન કરે. પરમાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનો એક ભાગ છે. તેઓ કોઈ પણ રીતે લોકોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવા માંગતા નથી.
VHPના નેતાઓ અને સંતોની સમિતિ બનાવાશે - અન્ય મતભેદોને સમાપ્ત કરવા માટે, શંકરાચાર્ય, VHP નેતા અને સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ ટ્રસ્ટોના સંતોની બનેલી સમિતિની રચના કરવામાં આવશે, જે સનાતની સંતોના વાંધાઓ પર વિચાર કરશે. આ અગાઉ સ્વામિનારાયણ સંત દર્શન વલ્લભસ્વામીએ વડોદરાની સભામાં વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે અને રહેશે. અમને ઉશ્કેરવાનો પ્રયાસ કરવાનું બંધ કરો.
સનાતનથી મોટો કોઈ સંપ્રદાય ન હોઈ શકે - શંકરાચાર્ય શારદા દ્વારકાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ જણાવ્યું છે કે, વિવાદના કારણોનો અંત આવ્યો નથી. જો કોઈ સંપ્રદાય પૈસાથી બળવાન બને છે, તો તે સનાતન ધર્મથી મોટો નથી થતો. સચ્ચિદાનંદ સ્વામી, ઋષિ ભારતી બાપુ, સંત જ્યોતિનાથે પણ ભીંતચિત્રને હટાવવાના વિવાદનો અંત આવવાનો ઇન્કાર કર્યો હતો.
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ જણાવ્યું છે કે, સ્વામિનારાયણ સાહિત્યમાં સનાતન ધર્મના દેવી-દેવતાઓને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે. આ સિવાય પણ અનેક વિવાદો છે, આ અંગે સ્વામિનારાયણ સંતોએ લેખિતમાં ખાતરી આપવી પડશે.
-
Mojtaba Khamenei : કોણ છે ઈરાનના નવા નેતા મોજતબા ખામેનેઈ? -
Petrol Diesel Price: 5 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
AMCનો મોટો નિર્ણય, નરોડા-નારોલ હાઈવેને 250 કરોડના ખર્ચે બનશે હાઈટેક બનાવાશે -
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં વાતાવરણ બગડશે -
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા












Click it and Unblock the Notifications
