સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના 4 હોદ્દેદારો પદ પરથી હટાવાયા
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સચિવ પદેથી નિરંજન શાહ સહિત 4 હોદ્દેદારો સુપ્રિમ કોર્ટના ચૂકાદા બાદ આપોઆપ પદ પરથી નીકળી ગયા છે...
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સચિવ પદેથી નિરંજન શાહ સહિત 4 હોદ્દેદારો સુપ્રિમ કોર્ટના ચૂકાદા બાદ આપોઆપ પદ પરથી નીકળી ગયા છે. નવા હોદ્દેદારોની પસંદગી માટે એક સપ્તાહમાં બેઠક મળશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ બીસીસીઆઇના અધ્યક્ષ અનુરાગ ઠાકુર અને સેક્રેટરી શિર્કેને સુપ્રિમ કોર્ટે પદ પરથી હટાવી દીધા હતા. સુપ્રિમ કોર્ટના ચૂકાદા બાદ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના આ ચાર હોદ્દેદારો પદ પર રહી શકશે નહિ.

એસીએના સેક્રેટરી નિરંજન શાહ, પ્રમુખ લાલભાઇ રાઠોડ, ઉપપ્રમુખ બાલસિંહ સરવૈયા અને નાથાભાઇ સિસોદિયા સહિત ચાર હોદ્દેદારો સુપ્રિમ કોર્ટના ચૂકાદા બાદ આપોઆપ પદ પરથી નીકળી ગયા છે. આ સપ્તાહમાં મળનાર બેઠકમાં નવા સચિવ, પ્રમુખ અને ઉપપ્રમુખના નામો જાહેર કરવામાં આવશે. સમગ્ર મામલે નિરંજન શાહનું કહેવુ છે કે સુપ્રિમ કોર્ટ સર્વોપરી છે. અમે સુપ્રિમ કોર્ટના ચૂકાદાનું પાલન કરી રહ્યા છે. નવા હોદ્દેદારો કોણ આવશે તે વિશે હું કંઇ કહી શકુ નહિ.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
