ગુજરાતમાં આજથી બે વર્ષથી બંધ પ્રી-પ્રાઈમરી સ્કૂલો અને આંગણવાડી ઓફલાઈન શરુ, SOPનુ કરાશે ચુસ્ત પાલન
રાહત વચ્ચે સરકારે હવે પ્રાઈમરી સ્કૂલ અને આંગણવાડી કેન્દ્રો ખોલવાનો નિર્ણય કર્યો છે.
અમદાવાદઃ ભારતમાં કોરોના વાયરસની ત્રીજા લહેર અટકી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનના ગૃહરાજ્ય ગુજરાતમાં હવે મહામારીના બહુ ઓછા કેસો સામે આવી રહ્યા છે. વળી, રિકવર થનાર લોકોની સંખ્યા વધવાથી કોવિડ રિકવરી રેટ પણ સુધરી ગયો છે. રાહત વચ્ચે સરકારે હવે પ્રાઈમરી સ્કૂલ અને આંગણવાડી કેન્દ્રો ખોલવાનો નિર્ણય કર્યો છે. શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ કે ગુજરાતમાં 55 હજાર આંગણવાડી અને પ્રી-પ્રાઈમરી સ્કૂલોમાં લગભગ 25 લાખ બાળકો છે. રાજ્યમાં હવે સ્કૂલો-કૉલેજો ઑનલાઈન વિકલ્પ સાથે ઑફલાઈન ચાલુ થઈ ગઈ છે.

છેલ્લા બે વર્ષથી બાળકો માટે બાળમંદિર, પ્રી-પ્રાઈમરી સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ હતા પરંતુ રાજ્ય સરકારે એ નિર્ણય લીધો છે કે હવે પ્રાઈમરી સ્કૂલો અને આંગણવાડી કેન્દ્રો ખુલી શકે છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સોમવારે નિવેદન આપ્યુ હતુ કે 17 ફેબ્રુઆરીથી 55 હજાર બાળ મંદિર અને પ્રી સ્કૂલમાં ભણતા 25 લાખ બાળકો માટે શૈક્ષણિક કાર્ય શરુ કરવામાં આવશે. રાજ્યભરના આંગણવાડી અને પ્રી-સ્કૂલના સંચાલકો કોરોનાની નિયત ગાઈડલાઈનનુ ચુસ્ત પાલ અને વાલીના સંમતિપત્ર સાથે બાળકો માટે શિક્ષણ કાર્ય શરુ કરી શકશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાના 12 લાખથી વધુ કેસ નોંધવામાં આવી ચૂક્યા છે. જો કે, સારી વાત એ છે કે 1197983 લોકો રિકવર પણ થઈ ચૂક્યા છે. સરકારનુ કહેવુ છે કે હાલમાં 9378 સક્રિય દર્દી છે. કાલે 1817 નવા કેસ મળ્યા અને 2688 રિકવર થયા. ગઈ કાલે કોરોનાના કારણે 13 લોકોના મોત થયા હતા. જે બાદ સરકારી આંકડામાં કોરોનાથી મોતની સંખ્યા રાજ્યમાં 10851 થઈ ગઈ છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી







Click it and Unblock the Notifications
