For Daily Alerts
રાજ્યના 5 જિલ્લામાં 27 જાન્યુઆરીથી શ્રમિક અન્નપુર્ણ યોજાનો પ્રારંભ કરવામાં આવશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અન્નપુર્ણ યોજાનો વિસ્તાર કરવાન નિર્ણય કર્યો છે. 27 થી 30 જાન્યુઆરી વચ્ચે અન્ય 5 જિલ્લામાં પણ અન્નપુર્ણ યોજાનો પ્રારંભ કરવામાં આવશે.
શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકો માટે રાજ્યના વધુ પાંચ જિલ્લાઓમાં વિવિધ કડિયા નાકા પર તા. ૨૭ જાન્યુઆરીથી 30 જાન્યુઆરી દરમિયાન ભોજન કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવશે. જેમાં માત્ર રૂ. 5/-ના ટોકન દરે બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે તેમ, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ-અમદાવાદની યાદીમાં જણાવ્યું છે.
તા. ૨૭ જાન્યુઆરીના રોજ રામનગર કડિયાનાકા-સુરત, તા. ૨૮ જાન્યુઆરીના રોજ રૈયા ચોક કડિયાનાકા-રાજકોટ, તા. ૨૯ જાન્યુઆરીના રોજ ઝંડા ચોક કડિયાનાકા-વાપી, તા. ૨૯ જાન્યુઆરીના રોજ શહીદ ચોક કડિયાનાકા-નવસારી તેમજ તા. 30 જાન્યુઆરીના રોજ મહેસાણાના પરા ટાવર કડિયાનાકા ખાતે ભોજન કેન્દ્રો શરૂ કરવામાં આવશે, જેથી મોટા પ્રમાણમાં બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક ભોજનનો લાભ મળશે.
Comments
English summary
Shramik Annapurna Anna Yojana will be started in 5 districts
Story first published: Wednesday, January 25, 2023, 12:58 [IST]