For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ-મુંબઈ હાઈવે પર કારના ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા એકસાથે 6 કાર ટકરાઈ

ગુજરાતમાં અમદાવાદ-મુંબઈ હાઈવે પર વલસાડ નજીક ભયંકર દૂર્ઘટના બની.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ-મુંબઈ હાઈવે પર વલસાડ નજીક ભયંકર દૂર્ઘટના બની. હાઈવેના બ્રીજથી કારના ડ્રાઈવરે અચાનક બ્રેક લગાવી દીધી જેના કારણે તેની પાછળ આવતી 6 કાર પરસ્પર ટકરાઈ ગઈ. વળી, એક બાઈક સવાર પર તેની ચપેટમાં આવી ગયો. આ દૂર્ઘટનાથી અફડા-તફડી મચી ગઈ. ટ્રાફિક જામ થઈ ગયો. જણાવવામાં આવી રહ્યુ છે કે દૂર્ઘટનામાં 5 લોકો ઘાયલ થયા છે. ઘણી કારો ક્ષતિગ્રસ્ત થઈ છે. ટ્રાફિક પોલિસકર્મીઓએ હાઈવે પર વાહનોની અવરજવર શરૂ કરાવી.

accident

ટ્રાફિક પોલિસના જણાવ્યા મુજબ છ કાર એક સાથે ટકરાવાથી આ દૂર્ઘટના અમદાવાદ-મુંબઈ હાઈવે પર વલસાડ પાસે નદી પર આવેલા પુલ પરથી પસાર થતી એક કારના કારણે થઈ. જ્યાં એક કાર અચાનક રોકાઈ ગઈ ત્યાં તેની પાછળથી દોડીને આવતી 6 કાર એકબીજા સાથે ટકરાઈ. એ બધી કારમાં એક કાર હાઈવે પર જઈ રહેલી એક બાઈક સાથે પણ ટકરાઈ હતી. કારોમાં સવાર લોકોને ઈજા થઈ. વળી, બાઈક સવાર પણ ચપેટમાં આવી ગયા. છ લોકો ઘાયલ જણાવાઈ રહ્યા છે. આની પહેલા વલસાડ પાસે જાનલેવા દૂર્ઘટના બની હતી.

ગુજરાતમાં જ સુરતની દૂર્ઘટના વિશે ચોંકાવનારી વાત સામે આવી છે. અહીં દિવાળીના એક સપ્તાહના વેકેશનમાં 550 દૂર્ઘટના સામે આવી છે. આ દૂર્ઘટનામાં 5 લોકોના જીવ ગયા. વળી, 150થી વધુ ઘાયલોને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. પોલિસ, સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ 108 સેવા પાસેથી મળેલી માહિતી મુજબ 550 દૂર્ઘટનામાં 360 દૂર્ઘટના શહેરી વિસ્તારમાં બની અને 192 ગ્રામીણ વિસ્તારોમાં બની.

ભગવાન સૂર્યને અર્ધ્ય સાથે સંપન્ન થયો છઠ પૂજાનો તહેવારભગવાન સૂર્યને અર્ધ્ય સાથે સંપન્ન થયો છઠ પૂજાનો તહેવાર

English summary
Six Cars accident on Mumbai-Ahmedabad highway, 5 injured.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X