નર્મદા મુદ્દે તંત્ર ઝૂક્યુ, નર્મદા જંયતિ સુધી ડેમમાં છોડશે પાણી
26 જાન્યુઆરી સુધી નર્મદા ડેમમાં પાણી છોડવામાં આવશેસ્થાનિક સ્વરાાજની ચૂંટણી પહેલાં ઝૂક્યું તંત્રઆ અંગે વધુ વાંચો અહીં...
છેલ્લા કેટલાક દિવસથી નર્મદા કેચમેન્ટ એરિયામાંથી ખેડૂતોને પાણી નહીં અપાય તેવા નિર્ણયને પગલે લોકોએ અને ખેડૂતોએ વિરોધ કર્યો હતો. તેના પગલે હવે નક્કી કરવામાં આવ્યું છે કે, નર્મદા નદીમાંથી કરજણ ડેમમાં પાણી છોડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, નર્મદાના મુદ્દે સાસંદ અહેમદ પટેલે પીએમ મોદીને ટકોર કરતો પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે, નર્મદાના પાણીની ખેડૂતોની લ્હાણી કરનારા સરકારે એ વચન પાળવું જોઈએ તેમજ ખેડૂતો અંગે વિચાર કરવો જોઈએ.

આ બાબતે ગુજરાતમાં રાજકારણ ગરમાયું હતું અને ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ અહેમદ પટેલને તેમનો રાજકીય ધર્મ યાદ અપાવતા કહ્યું હતું કે, જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે નર્મદા વિશે કેમ ન બોલ્યા. આ સમગ્ર ઘટના બાદ ઘીના ઠામમાં ઘી પડ્યું છે અને ગુજરાત સરકાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન કોઈ જોખમ લેવા ન માંગતી હોય તેમ કરજણ ડેમમાં પાણી છોડવાની મંજૂરી આપી છે. પાણી છોડવાની તીવ્ર અને ઉગ્ર માંગણીને પગલે 26 જાન્યુઆરી સુધી ડેમમાં પાણી છોડવામાં આવશે. આ નિર્ણયને પગલે ખેડૂતો તથા સ્થાનિકોમાં આનંદ ફેલાઈ ગયો છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
