જ્યાં પડે છે ઉગતા સૂરજની પહેલી કિરણ, સૂરજદેવળ
પ્રાચીન મંદિરોની ધરતી એટલે સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રનું ઝાલાવાડ આમ તો રણ અને ચિનાઇમાટી તથા કોલસી અને સિરામિક ઉદ્યોગ માટે જાણીતું છે પરંતુ બીજી ઘણી એવી પ્રાચીન વાતો ઝાલાવાડ એટલે કે સુરેન્દ્રનગરમાં છૂપાયેલી છે. એવી જ એક પ્રાચીન વાત છે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામે આવેલા સૂરજદેવળ મંદિરની. કહેવાય છે કે, સૂરજદેવળના મંદિરે ઉગતા સૂર્યની પહેલી કિરણ સિધી મૂર્તિ પર પડે છે. ભારતમા આવા જૂજ મંદીરો આવેલાં છે, જ્યાં સૂરજની સિધી કિરણ મૂર્તિ પર પડતી હોય.
આમ તો થાનગઢ કોલસી, ચિનાઇમાટી અને સિરામક ઉદ્યોગ માટે જગ પ્રસિદ્ધ છે, પરંતુ તેની ગોદમાં સમાયેલા આ મંદીર અંગે બહુ ઓછા લોકો જાણતા હશે. મંદીરની બનાવટ એટલી અદભૂત નથી, પરંતુ આકર્ષક તો જરૂર છે. ઓછી જગ્યામાં બનેલા આ મંદીરની રચના વર્ષો પૂર્વે રાજવી સૂર્યવંશીઓ દ્વારા અહીં કરવામાં આવી હતી. જેનો એકાદ બે વાર જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. મંદીરને ચોતરફ કલા કારીગરો દ્વારા સુંદર રીતે કોતરવામાં આવી છે. અહીં મંદીર અંગે આછેરી માહિતી તસવીરો થકી આપવામાં આવી છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે, સૂરજદેવળ ખાતે રાખવામાં આવેલી મૂર્તિ સ્વયંભૂ પ્રગટેલ છે. એક સમયે કાઠીયાવાડ તરીકે ઓળખાતા આ પ્રદેશના કાઠી દરબારો દ્વારા આ સૂર્યનારાયણ મંદીરનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનું મનાય છે. જે આજે સૂરજદેવળ તરીકે ઓળખાય છે. અહીં દર ભાદરવા સુદ ચોથના રોજ ધજા ચઢાવવામાં આવી રહી છે. અને વૈશાખ સુદ ચોથના દિવસે કાઠીદરબારો દ્વારા સાડા ત્રણ દિવસના ઉપવાસ અને યજ્ઞ હવન કરવામા આવે છે.
આ મંદીર પુરાતન હોવાથી ભારત પુરાતન વિભાગ દ્વારા તેને રક્ષિત જાહેર કરવામાં આવ્યું છે. જેથી માત્ર મંદીરના સમારકામની જવાબદારી સરકારને સોંપવામાં આવી છે. બાકી તમામ કામ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તસવીરોમાં થાનગઢનું સૂરજદેવળ મંદીર...

જ્યાં પડે છે ઉગતા સૂરજની પહેલી કિરણ, સૂરજદેવળ
સૂરજદેવળ મંદીર નાની અમથી ટેકરી પર આવલાં મંદીરની બાહરની શોભા

જ્યાં પડે છે ઉગતા સૂરજની પહેલી કિરણ, સૂરજદેવળ
સૂરજદેવળ મંદીર નાની અમથી ટેકરી પર આવલાં મંદીરની બાહરની શોભા

જ્યાં પડે છે ઉગતા સૂરજની પહેલી કિરણ, સૂરજદેવળ
આથમતા સૂરજની કિરણોથી ચમક્યું થાનગઢનું સૂરજદેવળ મંદીર

જ્યાં પડે છે ઉગતા સૂરજની પહેલી કિરણ, સૂરજદેવળ
આથમતા સૂરજની કિરણોથી ચમક્યું થાનગઢનું સૂરજદેવળ મંદીર

જ્યાં પડે છે ઉગતા સૂરજની પહેલી કિરણ, સૂરજદેવળ
થાનગઢના સૂરજદેવળ મંદીર પરની કોતરણી

જ્યાં પડે છે ઉગતા સૂરજની પહેલી કિરણ, સૂરજદેવળ
થાનગઢના સૂરજદેવળ મંદીર પરની કોતરણી

જ્યાં પડે છે ઉગતા સૂરજની પહેલી કિરણ, સૂરજદેવળ
થાનગઢના સૂરજદેવળ મંદીર પરની કોતરણી












Click it and Unblock the Notifications
