સુરતના વેવાઈ-વેવાણ ફરી ભાગી ગયાં, શનિવારથી લાપતા
સુરતઃ સુરતમાં છોકરાઓના લગ્ન ટાણે જ વેવાઈ-વેવાણ ભાગી ગયા હોવાની વાતથી તો બધા પરિચિત જ છે, આ વેવાઈ-વેવાણ ફરી એકવાર લાપતા થઈ ગયા છે. સૂત્રો મુજબ બંને વેવાઈ-વેવાણ એક ભાડાના મકાનમાં રહેવા ચાલ્યા ગયા છે. જણાવી દઈએ કે ઘરેથી ભાગનાર શોભના રાવલ અને હિંમત પાંડવના દીકરા અને દીકરીના લગ્ન નક્કી થઈ ગયાં હતાં. પરંતુ આ બંનેની હરકતોને કારણે લગ્ન તોડવા પડ્યાં.

10 જાન્યુઆરીએ પણ લાપતા થયા હતા
જણાવી દઈએ કે વરરાજાના પિતા અને દુલ્હનની મા એકબીજાને કોલેજ ટાઈમેથી જાણકતા હતા. જે બાદબંને એક સાથ જ ક્યાંક ગાયબ થઈ ગયા હતા. તેમના ગાયબ થવાના અહેવાલ મળ્યા બાદ છોકરાંઓના લગ્ન અટકી ગયાં. ઉપરાંત આ બંને પરિવાર તરફથી લાપતા થયા હોવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ વરરાજાનો પરિવાર કતારગામ વિસ્તારમાં રહે છે જ્યારે દુલ્હનનો પરિવાર નવસારીમાં રહેતો હતો.

પ્રોપર્ટી ડિલર હતો
ગત 10 જાન્યુઆરીએબંને પોતપોતાના ઘરેથી અચાનક લાપતા થઈ ગયા. બંનેના પરિજનોએ ભાગી ગયા હોવાની આશંકા જતાવી. જે બાદ છોકરા-છોકરીના લગ્ન અટકી ગયાં. જણાવવામાં આવી રહ્યું છે કે છોકરાના પિતા એક બિઝનેસમેન અને પ્રોપર્ટી ડિલર છે.

એક વર્ષ પહેલા બંનેની દીકરા-દીકરીની સગાઈ થઈ હતી
વરરાજો અને દુલ્હન પોતાના લગ્ન માટે તૈયારી કરી રહ્યા હતા. એક વર્ષ પહેલા જ બંનેની સગાઈ થી હતી. બંને એક જ સમુદાયના છે અને પરિજનોએ પણ સંબંધને લઈ હામી ભરી હતી. જો કે લગ્નના લગભગ એક મહિના પહેલા બંનેના માતા-પિતા ગાયબ થઈ જવાની ઘટનાએ લોકોને ચોંકાવી દીધા.

બંને વેવાઈ-વેવાણ પહેલેથી જ એકબીજાના સંપર્કમાં
પારિવારિક સૂત્રો મુજબ લાપતા થતા પહેલા જ બંને એક બીજાને ઓળખતા હતા અને જવાનીના દિવસોમાં એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. 10 દિવસ પહેલા થયેલી ફરિયાદ બાદ પણ જ્યારે પોલીસ બંનેનો પતો ના લગાવી શકી તો બંને પરિવારે લગ્નનો સંબંધ તોડી નાખ્યો. પરિવારના લોકો મુજબ ફેબ્રુઆરીમાં થનાર લગ્ન માટે બંને પરિવાર તૈયારીઓમાં વ્યસ્ત હતા.
નિર્ભયા કેસઃ દોષિત પવનની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, ત્રણેયને કાલે જ ફાંસી