Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં 78.76 હેકટર વિસ્તારમાં કાર્બોસેલ ખનીજની 30 લીઝ કાર્યરત
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 1995 થી 2020 સુધીમાં તારીખ 31 જાન્યુઆરી 2025ની સ્થિતિએ કુલ 78.76 હેક્ટર વિસ્તારમાં કાર્બોસેલ ખનિજના ખનન માટે કુલ 30 લીઝને મંજૂરી આપવામાં આવી છે, જે હાલમાં કાર્યરત છે.
આ કુલ 30 લીઝમાંથી વર્ષ 2014 થી 2024 સુધીમાં 12 લીઝની માપણી કરવામાં આવી છે. આ ઉપરાંત છેલ્લા બે વર્ષમાં આ 30 લીઝમાંથી રાજ્ય સરકારને કુલ રૂપિયા 779 લાખથી વધુની રોયલ્ટી સ્વરૂપે આવક થઈ છે.
વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતાં ખાણ અને ખનીજ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
ખાણ અને ખનીજ મંત્રી બળવંતસિંહ રાજપૂતે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, આ 30 લીઝમાંથી છેલ્લા બે વર્ષમાં ગેરકાયદેસર ખનન અંગે કુલ પાંચ કેસ નોંધાયા છે.

આ મંજૂર થયેલી લીઝમાં એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. ગેરકાયદેસર ખનન સામે રાજ્ય સરકાર દ્વારા કડક હાથે કામ લેવામાં આવે છે.
આ પ્રકારના કેસમાં ગુનેગારો સામે પાસા તેમજ પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી કરીને કરોડોનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે તેમ, મંત્રીએ ગૃહમાં ઉમેર્યું હતું.












Click it and Unblock the Notifications
