ગુજરાત હાઈકોર્ટે મસ્જિદોમાં લાઉડસ્પિકરના ઉપયોગ સામેની અરજીનો રાજ્ય સરકાર પાસે માંગ્યો જવાબ
ગુજરાત હાઈકોર્ટે મસ્જિદોમાં અઝાન પઢવા માટે લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધની માંગ કરતી પીઆઈએલ પર રાજ્ય સરકારનો જવાબ માંગ્યો છે. આ કેસની આગામી સુનાવણી 12 એપ્રિલના રોજ થશે.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા મંગળવારના રોજ મસ્જિદોમાં અઝાન પઢવા માટે લાઉડસ્પિકરના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવાવાળી એક જાહેર હિતની અરજી બાબતે રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે.

જાહેર હિતની અરજીમાં જોડાવાની મંજૂરી
એક્ટિંગ ચીફ જસ્ટિસ એ. જે. દેસાઈ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ડિવિઝન બેચે સોમવારના રોજ બજરંગ દળના નેતા શક્તિસિંહ ઝાલાનેપીઆઈએલમાં સામેલ થવાની મંજૂરી આપી હતી. કારણ કે, મૂળ અરજદાર ધર્મેન્દ્ર પ્રજાપતિએ ધમકીઓનું કારણ આપીને અરજી પાછીખેંચવાની માંગ કરી હતી.

12 એપ્રિલે થશે આગામી સુનાવણી
શક્તિસિંહ ઝાલાના વકીલે મૂળ અરજદારની ગેરહાજરીમાં તેમને ટ્રાયલમાં હાજર રહેવાની મંજૂરી આપવા કોર્ટને વિનંતી કરી હતી. કોર્ટે 12મીએપ્રિલે સરકારને જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપતા આ મામલાને લિસ્ટ કર્યો હતો.

લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મૂકવાની માંગ
એક પીઆઈએલ એ ગુજરાતની મસ્જિદોમાં 'અઝાન' માટે લાઉડસ્પીકરોના ઉપયોગ પર પ્રતિબંધની માંગણી કરી છે, અને દાવો કર્યો છે કે, તેઓ અવાજનું પ્રદૂષણ વધારે છે અને નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
અરજદારે જણાવ્યું હતું કે, તેની પડોશમાં આવેલી મસ્જિદમાં એક મુએઝિન દિવસમાં પાંચ વખત અઝાન પઢવા માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરે છે, જેનાથી મોટી અસુવિધા થઇ રહી છે.












Click it and Unblock the Notifications
