ગુજરાતમાં ઓછી સંખ્યામાં થઈ રહેલા ટેસ્ટો પર હાઈકોર્ટ કરશે સુનાવણી
અમદાવાદ નર્સિંગ હોમ એસોચેમ કાર્યકારી સમિતિના સભ્ય તેમજ ધવાણી હોસ્પિટલના સીઈઓ ડૉ. વસંત પટેલ રાજ્યમાં કોરોનાના સંક્રમણ વિશે સરકારની ખામીઓ ગણાવી. તેમણે વધતા સંક્રમણના કેસો પર ચિંતા વ્યક્ત કરીને કહ્યુ કે, 'રાજ્ય સરકાર પાસે કોવિડ-19થી નિપટવાની સ્પષ્ટ પૉલિસી નથી. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદના બિન-કોવિડ હોસ્પિટલોમાં ખાનગી ડૉક્ટરોને કોરોના વાયરસના લક્ષણોવાળા ઘણા રોગી મળે છે. ગુજરાત સરકાર પાસે આને પરખવાની કોઈ પૉલિસી નથી કે આપણ કોને(કઈ વ્યક્તિને) સંક્રમિત જાણી શકીએ છે. તેમણે આજે કહ્યુ કે કાલે મે એક દર્દીને ડિલીવરી માટે અપ્લાય કર્યુ હતુ, લગભગ 24 કલાક થઈ ગયા છે અને મારે હજુ પણ કોરોના ટેસ્ટ માટે પરવાનગી મેળવવાની છે.'
કોરોના ટેસ્ટને હળવામાં લઈ રહી છે સરકાર
ડૉ. વસંત પટેલે કહ્યુ, 'અમદાવાદમાં લગભગ બધા ડૉક્ટર આ રીતની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. આનુ કારણ દર્દીઓની ખરાબ સ્થિતિ છે. આ ગુજરાતની સરકારની પૉલિસી પેરાલિસિસ છે. વસંત પટેલે એ પણ કહ્યુ કે આઈસીએમઆરના જણાવ્યા અનુસાર કોઈ પણ સર્જરી પહેલા કોવિડ-19નો ટેસ્ટ અનિવાર્ય છે. પરંતુ ગુજરાત સરકાર કોરોનાના પરીક્ષણોને બહુ હળવાશમાં લઈ રહી છે.
હાઈકોર્ટમાં કાલે થશે સુનાવણી
અહીં ઓછી સંખ્યામાં પરીક્ષણ કેમ થઈ રહ્યા છે, હજુ પણ લોકો અને ડૉક્ટર એ સમજી નથી શકતા. આવી પરિસ્થિતિમાં કોવિડ-19ના ઓછા ટેસ્ટ થવાની સંખ્યા વિશે અમદાવાદ મેડિકલ એસોચેમે એક જનહિત અરજી કરી છે. અમદાવાદ નર્સિંગ હોમ એસોચેમ પણ પીઆઈએલમાં શામેલ થઈ ગયુ છે. હવે કાલે આને ગુજરાત હાઈકોર્ટમાં સાંભળવામાં આવશે.
ભાજપ રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રા હોસ્પિટલમાં ભરતી, દેખાયા કોરોનાના લક્ષણ