અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, ઓક્સિજન પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. તેઓ પંચામૃત ડેરી ગોધરા ખાતે પીડીસી બેંકના હેડક્વાર્ટરના નવા બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે અને મોબાઈલ એટીએમ વાનનું ઉદ્ઘાટન કરશે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. તેઓ પંચામૃત ડેરી ગોધરા ખાતે પીડીસી બેંકના હેડક્વાર્ટરના નવા બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે અને મોબાઈલ એટીએમ વાનનું ઉદ્ઘાટન કરશે. આ પછી અમિત શાહ ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કરશે. તેમની મુલાકાત દરમિયાન, તેઓ વિવિધ રાજ્યોમાં સ્થિત પંચમહાલ ડેરી પ્લાન્ટનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

શાહ 632 કરોડના ખર્ચે તૈયાર થનારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો શિલાન્યાસ કરશે
એવું કહેવામાં આવી રહ્યું છે કે, અમિત શાહ બપોરે 12 કલાકે ખેડામાં ગુજરાત પોલીસના રહેણાંક અને બિન-રહેણાંક સંકુલનું ઉદ્ઘાટન કરશે.આ પછી, સાંજે 5 વાગ્યે, તેઓ ગાંધીનગર લોકસભાના નારણપુરા ખાતે 632 કરોડના ખર્ચે નિર્માણ થનારા ઓલિમ્પિક કક્ષાના સ્પોર્ટ્સકોમ્પ્લેક્સનો શિલાન્યાસ કરશે.

57 રહેણાંક અને બિન-રહેણાંક ઇમારતોનું ઉદ્ઘાટન કરશે
પંચામૃત ડેરી દ્વારા યોજાનારા કાર્યક્રમમાં ભાગ લેવા ઉપરાંત અમિત શાહ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે સભાને પણ સંબોધશે. માહિતીઅનુસાર, શાહ બાદમાં ખેડા જિલ્લાના નડિયાદ શહેરની મુલાકાત લેશે અને ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા રાજ્યમાંપોલીસ વિભાગ માટે બનાવવામાં આવેલી 57 રહેણાંક અને બિન-રહેણાંક ઇમારતોનું ઉદ્ઘાટન કરશે.

શાહ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ફાઇનલ મેચ નિહાળશે
સાંજે, શાહ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટનમાં હાજરી આપશે અને સાંજે મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંIPLની ફાઇનલ મેચ નિહાળશે, એમ રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું.
વાઘાણીએ એવી પણ માહિતી આપી હતી કે, ગાંધીનગરમાં 1 અને 2 જૂનના રોજ યોજાનારી બે દિવસીય રાષ્ટ્રીય શાળા શિક્ષણ પરિષદમાંકેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શિક્ષણ પ્રધાનો અને શિક્ષણ સચિવો ભાગ લેશે.












Click it and Unblock the Notifications
