એપ્લીકેશનના માધ્યથી પત્રવ્યવાહની કોપીને ઓનલાઇના માધ્યથી જોઇ શકાશે
રાજ્ય સરકાર તમામ પત્ર વ્યવહારને ઓનલાઇન કરવામાં આવશે આ અંતર્ગત પત્રોને સ્કેન કરીને ઓનલાઇન કરવામાં આવશે. પત્રને એપના માધ્યથી જે તે વિભાગના અધિકારી સુધી પહોચાડવામા આવશે
રાજ્ય સરકાર પોતાના તમામ પત્રવ્યવહારની જાણકારી ઇ સરકાર દ્વારા સંધિત વ્યક્તિ સુધી પહોચાડશે. હવે ઇ સરકાર એપ્લીકેશનના માધ્યથી સરકાર તમામ પ્રકારની માહિતી આ એપ્લીકેશન ઓન લાઇન ઉપલબ્ધ કરાવશે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નાગરીકો કે અન્ય કચેરીઓ, સંસ્થાઓ તરફથી આવતી તમામ પત્રવ્યવહારને રજિસ્ટ્રેશનમાં સ્કેન કરવામાં આવશે. ત્યાર બાદ ઇ સરકાર એપ દ્વારા સંબધિત વિભાગ સુધી પહોચાડવામાં આવશે. જે અધિકારી ઇ મેઇલનો ઉપયોગ કરે છે તેમને આ ફોર્મેટથી જ જવાબ પાઠવશ. અને પત્રવ્યવહારને આગળ વધારવામાં આવશે.
GADના સંયુક્ત સચિવ રાજેસન્દ્રસિંહ રાઠોડની કરવામાં આવેલા પરીપત્ર અનુસાર સચિવાલયના વિભાગોમા ઓનલાઇન પ્લેટફોર્મ કાર્યકર્ત હોય ત્યાં ટપાલ ઓનલાઇન ઇનવર્ડ કરીનેસંબંધિત વિભાગના વડાને કે પછી સંબધિત અધિકારીને ઓનલાઇન સ્વરૂપે જ મોકલવા માટે કહેવામાં આવ્યુ છે. તેમજ સરકરમાં આવતી તમામ ટપાલના દરેક વાના સ્કેન થાય તે રજીસ્ટ્રેશન અધિકારીએ આસિસ્ટ કે નાયબ સેક્શન અધિકારીએ સુનિશ્ચિત કરવનું રહેશે.
સંધિત અધિકારીને ઓનલાઇન ટપાલ મોકલવ્યા બાદ તેના ફિજિકલ કોપ તૈયાર કરીને મહિનામાં 20 ટપાલની રેન્જ નકી કરવામાં આવી છે જેથી કરીને કોઇ ટપાલ સ્કેન કરવામાં રહી ના જાય. આ સાથે ફિજિકલ કોપીને રજિસ્ટ્રેશન રેકર્ડમાં રૂમમાં જમા પણ કરવાની રહેશે. જેથી કરીને તેની ફીજીકલ રેકર્ડ પણ તૈયાર કરી શકાય