રાજ્યમાં 27 ઓક્ટોબર સુધી ટ્રાફિક પોલીસ કોઈ દંડ નહીં ઉઘરાવે!
રાજ્યમાં હાલ દિવાળીનો માહોલ છે. રાજ્ય અને દેશભરમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે હવે ગુજરાત સરકારે પણ મોટી જાહેરાત કરી છે.
સૂરત : રાજ્યમાં હાલ દિવાળીનો માહોલ છે. રાજ્ય અને દેશભરમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે હવે ગુજરાત સરકારે પણ મોટી જાહેરાત કરી છે.

ગુજરાત સરકારના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ જાહેરાત કરી હતી કે દિવાળીના તહેવારો દરમિયાન 27 ઓક્ટોબર સુધી ટ્રાફિક પોલીસ કોઈ પણ પ્રકારનો દંડ ઉઘરાવશે નહીં. જો કે તેમણે એમ પણ કહ્યું કે પોલીસ નિયમો તોડનારાઓને ભૂલનો અહેસાસ કરાવવા માટે ફૂલ આપશે.
અહીં તમને જણાવી દઈએ કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવની ઉપસ્થિતીમાં સુરત પોલીસ દ્વારા વેપારીઓ અને નાગરિકોને માટે સેફ દિવાલી સેફ સુરત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી હતી અને જણાવ્યુ હતું કે, આવનાર 27 તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં એક પણ ટ્રાફિક પોલીસ કોઈ જ પ્રકારનો દંડ ઉઘરાવશે નહીં.












Click it and Unblock the Notifications
