ગુજરાતમાં સરકાર ગઠન માટે આ ત્રણ નેતાઓને જવાબદારી સોંપાઈ
રાજનાથ સિંહ સહિતના આ ત્રણ નેતાઓ સરકારના ગઠન પર નજર રાખશે. બીજેપીના સંસદિય બોર્ડે આ જવાબદારી સોંપી છે.
ગાંધીનગર : વિધાનસભા ચૂંટણીમાં ધમાકેદાર જીત બાદ હવે ગુજરાતમાં બીજેપીએ ફરીથી સરકાર બનાવવા માટે કવાયત શરૂ કરી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને તમામ મંત્રીઓએ રાજીનામાં રાજ્યપાલને સોંપી દીધા છે અને હવે નવી સરકાર રચવામાં આવશે. સરકાર બનાવવાની તૈયારી વચ્ચે બીજેપીએ રાજનાથસિંહ સહિતના ત્રણ મોટા નેતાઓને ગુજરાતમાં સરકાર બનાવવાની જવાબદારી સોંપી છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી વચ્ચે બીજેપીએ મોટી જીત મેળવી છે અને સરકાર બનાવવા જઈ રહી છે ત્યારે હવે બીજેપીએ કેન્દ્રના ત્રણ મોટા નેતાઓને દેખરેખની જવાબદારી સોંપી છે. ગુજરાતમાં ધારાસભ્યોની બેઠક અને મુખ્યમંત્રી પદની પસંદગીના નિરિક્ષક તરીકે રાજનાથ સિંહ, કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા અને કેન્દ્રિય મંત્રી અર્જુન મુંડાની પસંદગી કરી છે.
Defence Minister Rajnath Singh, Former Karnataka CM BS Yediyurappa and Union Minister Arjun Munda appointed as observers for the Gujarat BJP Legislature party meet. pic.twitter.com/JQ7rmIRX3n
— ANI (@ANI) December 9, 2022
ભાજપના સંસદિય બોર્ડે આ નેતાઓને જવાબદારી સોંપી છે. અહીં તમને જણાવી દઈએ કે બીજેપીની નવી સરકાર 12 ડિસેમ્બરે શપથ લેવા જઈ રહી છે. ગાંધીનગર ખાતે યોજાનારા શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી અને અમિત શાહ સહિત દેશભરના બીજેપીના તમામ મુખ્યમંત્રીઓ અને નેતાઓ હાજર રહે છે. આ માટે તૈયારીઓને આખરી ઓપ આપવામા આવી રહ્યો છે.