For Quick Alerts
For Daily Alerts
રસીકરણ: ગુજરાતમાં 41 ટકા લોકોને મળ્યો વેક્સિનનો પ્રથમ ડોઝ
દેશભરમાં કોરોનાની બીજી લહેરે આતંક મચાવ્યો હતો. આ સાથે કોરોનાને પહોચી વળવા માટે સરકારે રસીકરણ અભિયાન ચલાવ્યું હતુ. આ સાથે ગુજરાતમાં તારીખ 30 જુન સુધીમાં 41 ટકા નાગરિકોને કોવિડની રસીનો પહેલો ડોઝ આપીને સુરક્ષીત કરવામાં આવ્ય
દેશભરમાં કોરોનાની બીજી લહેરે આતંક મચાવ્યો હતો. આ સાથે કોરોનાને પહોચી વળવા માટે સરકારે રસીકરણ અભિયાન ચલાવ્યું હતુ. આ સાથે ગુજરાતમાં તારીખ 30 જુન સુધીમાં 41 ટકા નાગરિકોને કોવિડની રસીનો પહેલો ડોઝ આપીને સુરક્ષીત કરવામાં આવ્યા છે. કોવિડની રસી મેળવવા પાત્ર 4,93,20 પૈકી 2,61,000 નાગરિકોને કોવિડની રસીનો પહેલો ડોઝ અપાયો છે. જ્યારે પહેલો અને બીજો ડોઝ મેળવનારની સંખ્યા 2,56,77,000 થઈ છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષપદે ગઈકાલે યોજાયેલી કોર સમિતિની બેઠકમાં આ વિગતો આપવામાં આવી હતી. ગઈકાલ સુધીમાં કોવિડની રસીનો પહેલો ડોઝ મેળવનારા લોકોમાં આરોગ્યકર્મીઓ તથા અગ્રીમ હરોળના 19,63,058 અને 45 વર્ષથી વધુના 1,08, 29, 452 તેમજ 18થી 44 વયજૂથના 72,68, 475 લોકોને રસી અપાઇ છે.
Comments
English summary
Vaccination: 41% of people in Gujarat get first dose of vaccine
Story first published: Thursday, July 1, 2021, 22:27 [IST]