આ વાયરલ સમાચારમાં કોણ સાચું? સલીમ કે હર્ષ
ગુજરાતના મોટો મીડિયા હાઉસના કહેવા મુજબ હર્ષ દેસાઇ હતા અમરનાથ હુમલાના બસ ડ્રાઇવર. નેશનલ મીડિયા કહી રહ્યું છે સલીમ ભાઇ હતા ડ્રાઇવર. સોશ્યલ મીડિયા પર ચાલી રહેલા આ વાયરલ સમાચારનું સત્ય જાણો અહીં.
જમ્મુ કાશ્મીરમાં મંગળવારે અમનાથ યાત્રાના યાત્રીઓ પર હુમલો કરવામાં આવ્યો જેમાં 7 ગુજરાતીઓના મોત થયા. આ હુમલામાં વધુ લોકોના પ્રાણ પણ જઇ શકતા હતા પણ ડ્રાઇવરની સમજદારીથી અનેક લોકોના જીવ બચી ગયા. એટલું જ નહીં જમ્મુ કાશ્મીરની સરકારે પણ બસ ચલાવનાર ડ્રાઇવરને તેની બાહદૂરી માટે 5 લાખ રૂપિયા આપવાની વાત કરી છે. અને ગુજરાત સરકારે પણ ડ્રાઇવરનું નામ વીરતા પુરસ્કાર માટે મોકલવાની વાત કરી છે. યાત્રીઓથી અને પોલીસ જોડેથી જે જાણકારી મળી છે તે મુજબ બસ સલીમ ભાઇ જ ચલાવી રહ્યા હતા. અને મોટા ભાગને નેશનલ ચેનલમાં પણ સલીમ ભાઇની જ બહાદૂરી અને સમજના વખાણ થઇ રહ્યા છે. પણ મંગળવારથી ગુજરાતની અનેક જાણીતી મીડિયા ચેનલ હર્ષ દેષાઇ બસ ચલાવી રહ્યા હોવાની વાત જણાવે છે. સોશ્યલ મીડિયા પર પણ આ વાત સ્પષ્ટ જોવા મળી રહી છે. કેટલાક લોકો હર્ષ દેસાઇના નામની વાહ વાઇ કરી રહ્યા છે અને કેટલાક સલીમ ભાઇ ત્યારે શું છે હકીકત?

નેશનલ મીડિયા
એએનઆઇથી લઇને તમામ નેશનલ મીડિયામાં સલીમ ભાઇ દ્વારા જ આંતકી હુમલા વખતે બસ ચલાવવાની વાત કરવામાં આવી છે. એટલું જ નહીં આંતકી હુમલા પછી સલીમ ભાઇએ તેમના ભાઇને ફોન કરીને હુમલા અંગે જણાવ્યું હતું અને પોતે સલામત છે તે વાત પણ કહી હતી. એટલું જ નહીં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સલીમભાઇનો આભાર માન્યો હતો. અને સલીમ ભાઇના નિવેદન મુજબ પણ તે જ આંતકી હુમલા વખતે ગાડી ચલાવતા હતા તેવું તેમને જણાવ્યું હતું.
|
ગુજરાતી મીડિયા
પણ ગુજરાતના કેટલાક મીડિયા વેબસાઇટમાં હર્ષ દેસાઇ નામના વ્યક્તિ દ્વારા આંતકી હુમલા વખતે બસ ચલાવાઇ હોવાની વાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હર્ષ દેસાઇએ ટૂરઓપરેટર છે. અને આ હુમલામાં તેમને પણ ગોળી વાગી તે ઇજાગ્રસ્ત થયા છે. સોશ્યલ મીડિયા પર પણ અનેક લોકો હર્ષ દેસાઇની બાહુદૂરીની વાત કરી રહ્યા છે.

ત્યારે સત્ય શું?
યાત્રીઓના નિવેદન અને પ્રાથમિક તપાસ મુજબ તથા સલીમ ભાઇના નિવેદન મુજબ તે જ આ ઘટનામાં બસ ચલાવી રહ્યા હતા. આંતકી હુમલામાં અચાનક જ જ્યારે આતંકીઓ બસ સમક્ષ આવી ગયા ત્યારે તેમણે હિંમત રાખીને બસને હંકારી મારી જેના કારણે અનેક લોકોના પ્રાણ બચી ગયા. જો કે તેમણે કહ્યું કે ટ્રૂર ઓપરેટર હર્ષ ભાઇએ તેમને હિંમત આપી અને ગાડી ભગાવતા રહેવાનું કહ્યું હતું.

3 લોકોની હિંમતને સલામ
જો કે આ હુમલામાં સલીમ ભાઇની હિંમત સાથે અન્ય બે લોકોની હિંમત પણ વખાણવી પડે. ટૂર ઓપરેટર હર્ષ દેસાઇએ સલીમ ભાઇને બસ થોભ્યા વગર સતત ચલાવતા રહેવાનું કહ્યું. સલીમ ભાઇ પણ હિંમત રાખી વળીને સતત બસ હંકારી અને તે સિવાય બસના ક્લીનર મુકેશ ભાઇ પટેલ કે જેણે બસમાં ચડી રહેલા આંતકીને લાત મારીને બસની બહાર ફેંકી દઇ બસનો દરવાજો બંધ કર્યો. જો મુકેશ ભાઇ પણ સમજ સૂચકતા ના વાપરી હોત તો આંતકી બસમાં અંદર આવી મોટી હોનારતને અંજામ આપી શક્યો હોત.
-
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે







Click it and Unblock the Notifications
