જાણો ખોડલધામના ચેરમેન નરેશ પટેલે રાજીનામાં અંગે શુ કહ્યું?
ખોડલધામના અગ્રણી અને ચેરમેન નરેશ પટેલે તેમના રાજીનામાં અને રાજીનામુ પરત ખેંચવાના મુદ્દે આજે રાજકોટમાં પ્રેસ કોંફરન્સ યોજી હતી.
ખોડલધામના અગ્રણી અને ચેરમેન નરેશ પટેલે તેમના રાજીનામાં પરત ખેંચવાના મુદ્દે આજે રાજકોટમાં પ્રેસ કોંફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે હાલ તે તેમના બિઝનેસ ના વિકાસ માટે કામ કરી રહ્યા છે અને તેમને અન્ય બે ટ્રસ્ટમાં પણ કાર્યરત હોવાથી તેમણે ખોડલધામ માંથી રાજીનામુ આપ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું કે તે બિઝનેસ ના કામથી વિદેશમાં હતા અને તેમના રાજીનમાં બાદ વિવાદ થતા તેમને તત્ક્લીક રાજીનામુ પરત લઈ લીધું હતું.

એમણે એમ પણ જણાવ્યું કે ખોડલધામ ના પ્રમુખ પરેશ ગજેરા પણ ખૂબ સારું કામ કરી રહ્યા છે અને તેમના કામ થી બધા ને સંતોષ છે. તો તેમની સાથે વાદ થવાનો પ્રશ્ન જ નથી. જોકે હજુ પણ તેમણે જણાવ્યું છે કે તે હજુ પણ ખોડલધામ ની જવાબદારી થી મુક્ત થવા ઈચ્છે છે આ માટે તમામ ને ખાતરી આપી હતી કે તે ખોડલધામ ને જરૂર પડે ત્યારે હાજર રહેશે.
બીજી તરફ હાર્દિક પહેલા આક્ષેપ લગાવ્યો હતો કે ખોડલધામ નું ભગવા કરણ કરવામાં આવ્યું છે. તે અંગે નરેશ પટેલે જણાવ્યું હતું કે ખોડલધામ ધાર્મિક અને સામાજિક સંસ્થા છે. તો કોઈપણ પ્રકારના રાજકારણ ને ચલાવી લેવામાં નહી આવે અને હાલ પણ કોઈ રાજકારણ નથી. આમ, છેલ્લા ઘણા દિવસથી ચાલતા ડ્રામાંનો અંત આવ્યો છે.
More From
-
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા










Click it and Unblock the Notifications
