જાણો છો? ગુજરાત સરકારે શહેરી વિકાસ માટે આપેલા રૂપિયા 1652 કરોડ ક્યાં ખર્ચાશે?
ગાંધીનગર, 24 સપ્ટેમ્બર : આજે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા 'ગુજરાતની શાન ધબકતા શહેરો' કાર્યક્રમ અંતર્ગત અર્બન ડેવલપમેન્ટ ઓતોરિટી અને અન્ય શહેરી વિકાસ સંસ્થાઓને જરૂરી માળખાકીય સવલતો વિકસાવવા માટે રૂપિયા 1652 કરોડનું ભંડોળ ફાળવ્યું હતું.
આ પહેલા પણ રાજ્ય સરકારે શહેરી વિકાસ યોજનાઓ માટે રૂપિયા 1910 કરોડનું ભંડોળ ફાળવ્યું હતું. આમ, માળખાકીય વિકાસ અને જનસુખાકારી કામો માટે રાજ્ય સરકારે કુલ 3,562 કરોડની સહાય અત્યાર સુધીમાં ફાળવી છે તેમ કહેવાશે.
શહેરી ગૃહનિર્માણ રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરીના અતિથિ વિશેષ પદે યોજાનારા આ ગ્રાન્ટ-સહાય વિતરણ કાર્યક્રમમાં ર્સ્વણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આંતરમાળખાકીય વિકાસ કામો માટે ગુજરાત સરકાર 'ગુજરાતની શાન ધબકતા શહેરો' કાર્યક્રમ અંતર્ગત રૂપિયા 1652 કરોડનું ભંડોળ રાજ્યની 8 મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને આપવાની છે. આ સંસ્થાઓ આ ભંડોળનો ક્યાં કેટલો ઉપયોગ કરશે તે જાણવા આગળ ક્લિક કરો...
1. આંતરમાળખાકીય વિકાસના કામો માટે 936 કરોડ
આંતરમાળખાકીય
વિકાસ
કામો
માટે
5
મહાનગરપાલિકા,
132
નગરપાલિકાઓ
અને
7
શહેરી
વિકાસ
સત્તા
મંડળોને
936
કરોડ
ફાળવાશે.
2. ત્રણ સેવા સદન બનાવવા માટે 2.51 કરોડ
રાજ્યમાં
3
નગરપાલિકાઓમાં
નવા
સેવાસદન
બનાવવા
માટે
રૂપિયા
2.51
કરોડ
ખર્ચાશે.
3. પાણી પુરવઠા અને ગટળ પાછળ 47.22 કરોડ
રાજયની
18
નગરપાલિકાઓમાં
પાણી
પુરવઠા
અને
ગટર
વ્યવસ્થાના
કામો
કરવા
માટે
રૂપિયા
47.22
કરોડ
ફાળવાશે.
4. નિર્મળ ગુજરાત અભિયાન માટે 60 કરોડ
નિર્મળ
ગુજરાત
અભિયાન
અંતર્ગત
પાંચ
મહાપાલિકાઓ
અને
119
નગરપાલિકાઓનાં
મળીને
1,10,632
શૌચાલય
નિર્માણ
માટે
રૂપિયા
60
કરોડની
રકમ
અપાશે.
5. આવાસ યોજના માટે 350 કરોડ
રાજ્યમાં
આથિક
રીતે
નબળા
વર્ગના
લોકો
માટે
આવાસ,
નિમ્ન
આવક
જૂથવાળા
લોકો
માટે
આવાસની
વિવિધ
યોજનાઓ
માટે
7
મહાનગરપાલિકા,
25
નગરપાલિકા,
6
શહેરી
વિકાસ
સત્તામંડળો
અને
ગુજરાત
હાઉસીંગ
બોર્ડને
કુલ
350
કરોડ
આપવામાં
આવશે.