કેમ ભગવંત માન AAP માટે ગુજરાત ચૂંટણીમાં મહત્વની કડી સાબિત થઈ રહ્યા છે?
ગુજરાતમાં હાલ વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. તમામ પાર્ટીઓએ સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે ત્યારે આમ આદમી પાર્ટી પણ પુરી તાકાત લગાવી રહી છે.
ચંદીગઢ : ગુજરાતમાં હાલ વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. તમામ પાર્ટીઓએ સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે ત્યારે આમ આદમી પાર્ટી પણ પુરી તાકાત લગાવી રહી છે. આમ આદમી પાર્ટીએ બન્ને મુખ્યમંત્રીઓ સહિત તમામ મોટા નેતાઓને મેદાનમાં ઉતારી દીધા છે. ગુજરાતમાં પાર્ટીની કમામ મુખ્યત્વે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સંભાળી રહ્યા છે ત્યારે હવે ભગવંત માન ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે મહત્વના સાબિત થઈ રહ્યા છે.
ગુજરાતની ચૂંટણીમાં ભગવંત માન હાલ પાર્ટી માટે હુકમનો એક્કો સાબિત થઈ રહ્યો છે. એક તરફ આમ આદમી પાર્ટી મોટી જાહેરાતો કરીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે તો બીજી તરફ ભગવંત માન સરકારમાં પંજાબમાં વિવિધ નિર્ણયો લઈને લાઈવ એક્શન દેખાડી રહ્યા છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટી પુરી તાકાત લગાવી રહ્યા છે ત્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાથી લઈને તમામ સ્તરે પંજાબ સરકાર એક પછી એક મોટા નિર્ણય લઈ રહી છે. તેની અસર કહો કે બીજુ કંઈ હવે ગુજરાતમાં સીએમ માનની રેલીઓમાં એકઠી થયેલી ભીડને સતત ભગવંત માનને મોટા કરી રહ્યા છે. નકારી શકાય નહીં કે માન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય ચહેરાઓમાંથી એક છે જેને ભારતના લોકો ઓળખે છે. આ જ કારણ છે કે આમ આદમી પાર્ટી ભગવંત માન પર વિશ્વાસ કરી રહી છે.
ગુજરાતની ચૂંટણીમાં ભગવંત માને પુરી તાકાત લગાવી દીધી છે. માન મતદારોને રીઝવવામાં કોઈ કસર છોડી રહ્યા નથી અને એક દિવસમાં 10-10 રેલીઓને સંબોધિત કરી રહ્યા છે. અહીં એક મહત્વની વાત પર વાત કરીએ તો, ગુજરાતમાં ગાંધીધામ, કચ્છ, વડોદરા અને સુરતના લખપત વિસ્તારોમાં આશરે 50,000 જેટલી શીખ વસ્તી કેન્દ્રિત છે, જેમાંથી કેટલાકને માને તેમના અભિયાનમાં સામેલ કર્યા છે. આ ઉપરાંત ભાવનગર, અમદાવાદ, જામનગર, વલસાડ, નવસારી અને વાપીમાં પણ શીખોની વસ્તી ફેલાયેલી છે.
આમ આદમી પાર્ટીના નેતાઓ અનુસાર, પાર્ટી માટે માનનું મહત્વ ખૂબ જ ઊંડા સ્તરે ચાલે છે. કેજરીવાલ પછી માન પાર્ટીના બ્રાન્ડ એમ્બેસેડર જેવા છે, જેમણે પંજાબમાં ઘણો વિકાસ કર્યો છે અને સત્તામાં આવ્યાના 6 મહિનામાં પાર્ટીના વચનો પૂરા કર્યા છે. માન જાહેર સભામાં લોકોને કહે છે કે તેમની સરકારે નોકરીઓમાંથી જૂનું પેન્શન પુનઃસ્થાપિત કર્યું છે. આ ઉપરાંત મફત વીજળી આપવામાં આવે છે.