આનંદીબેન પટેલે CM પદ માટે લખ્યો અમિત શાહને પત્ર
ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણી માટે મુખ્યમંત્રી પદની દાવેદારીમાં પોતાનું નામ ન જોડવા આનંદીબેન અમિત શાહને લખ્યો પત્ર. પત્રમાં આનંદીબેન પટેલે નવા લોકોને તક આપવાની વાત કરી. વધુ જાણો અહીં
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યના પહેલા મહિલા મુખ્યમંત્રી તેવા આનંદીબેન પટેલે ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ અમિત શાહને એક પત્ર લખ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સુબ્રહ્મણમ સ્વામીએ ટ્વિટ કરીને આનંદીબેનને આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી તરીકે રજૂ કરવાની અપીલ કરી હતી. જે બાદ બેન ફરી રાજકારણમાં પાછા આવે છે તેવી ચર્ચાઓ ઊભી થઇ હતી. આ તમામ ચર્ચાઓને ઠંડી પાડવા માટે આનંદીબેન અમિત શાહને પત્ર લખ્યો છે.

જેમાં તેમણે જણાવ્યું કે પાર્ટી નીતિ મુજબ 75 પ્લસને ચૂંટણી લડવી ના જોઇએ જે ભાજપની નીતિ છે. આ સાથે જ તેમણે નવા લોકોને તક આપવાની વાત કરતા જણાવ્યું કે અનેક કાર્યકર્તાઓ લાંબા સમયથી ભાજપ સાથે સંકળાયેલા છે અને તેમને ટીકિટ આપવી જોઇએ. ઉલ્લેખનીય છે કે આનંદીબેન તેમના કાર્યકાળ વખતે સ્વઇચ્છા વ્યક્ત કરીને 75 વર્ષને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. અને તે પછી પણ જ્યારે તેમના ગવર્નર પદ મામલે ચર્ચા થઇ તો તેમને નનૈયો ભર્યો હતો. આમ આ વખતે પણ તેમની નામ ફરી મુખ્યમંત્રીની હોડમાં ઉમેરાતા તેમણે આ અંગે સ્પષ્ટતા આપી હતી.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
