ગુજરાતના દરિયા કિનારાઓ પર વધી રહી છે કુદરતી સુરક્ષા દિવાલની સીમાઓ
ગુજરાતના દરિયા કિનારા પર કુદરતની સુરક્ષા દિવાલ એટલે કે મેંગ્રોવ વનોની સીમા પણ વધી રહી છે.
સુરતઃ રાજ્યમાં એક તરફ ગ્લોબલ વૉર્મિંગના દુષ્પ્રભાવોના કારણે સુનામી અને સમુદ્રી વાવાઝોડાનુ જોખમ, પ્રદૂષણ ખતરનાક રીતે વધી ગયુ છે ત્યાં એક સારી વાત એ પણ બની છે કે છેલ્લા એક દશકથી ગુજરાતના દરિયા કિનારા પર કુદરતની સુરક્ષા દિવાલ એટલે કે મેંગ્રોવ વનોની સીમા પણ વધી રહી છે. જો કે આની ગતિ થોડી ધીમી છે પરંતુ દેશના મોટાભાગના અન્ય રાજ્યોમાં આ સીમાઓ સમેટાઈ રહી છે અથવા તો સ્થિર છે.

પ્રકૃતિની સંરક્ષણ દિવાલ
2017 અને તે પછી 2019માં કરવામાં આવેલા સર્વેના આંકડા મુજબ પશ્ચિમ બંગાળ, અંદમાન અને નિકોબાર તેમજ તમિલનાડુમાં મેન્ગ્રોવ્ઝનો વિસ્તાર ઘટ્યો છે. જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર અને ઓરિસ્સામાં તેમાં વધારો થયો છે. જ્યારે આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ, ગોવા, દમણ-દીવ અને પોંડિચેરીમાં સ્થિતિ યથાવત છે. સરકારોએ મેન્ગ્રોવ જંગલો કે જેને પ્રકૃતિની સંરક્ષણ દિવાલો કહેવામાં આવે છે તેનો વ્યાપ વધારવા માટે વધુ પ્રયત્નો કરવાની જરૂર છે.

શું છે મેન્ગ્રોવ વન
મેન્ગ્રોવ જંગલો ઉષ્ણકટિબંધીય આબોહવા અને નજીકના વિસ્તારોમાં નદીઓના મુખ પર જોવા મળે છે. મેન્ગ્રોવ જંગલોમાં નાના વૃક્ષો, ઝાડીઓ અને ઘાસનો સમાવેશ થાય છે જે નદીઓ અને સમુદ્રના સંગમ સ્થાને મીઠા અને તાજા પાણીમાં ઉગે છે. ભારતમાં તે લગભગ 4975 કિમીની ત્રિજ્યામાં ફેલાયેલુ છે. મેન્ગ્રોવ્સના વિસ્તરણમાં ગુજરાતમાંથી પશ્ચિમ બંગાળનો બીજો નંબર આવે છે. ગુજરાતમાં તેમને ચેર વન પણ કહેવામાં આવે છે. તેમાંથી મોટાભાગના ગુજરાતમાં કચ્છ પ્રદેશમાં જોવા મળે છે.

વાવાઝોડા અને પ્રદૂષણથી પણ બચાવે
તજજ્ઞોના મતે મેન્ગ્રોવનું જંગલ ખૂબ મહત્વનુ છે. તે સમુદ્ર અને પૃથ્વી વચ્ચેના બફર ઝોન તરીકે કામ કરે છે. તે સમુદ્રમાં આવતા સુનામી અને વાવાઝોડાને રોકવાનુ કામ કરે છે. આ સિવાય મેન્ગ્રોવ વનસ્પતિની કાર્બન શોષવાની ક્ષમતા વધુ હોવાને કારણે તે પ્રદૂષણમાં પણ ઘટાડો કરે છે. હવામાં ઓક્સિજનનુ સ્તર વધે છે. એટલુ જ નહીં તે દરિયાઈ જીવો માટે સુરક્ષિત આશ્રયસ્થાન છે. વિવિધ વન-ઉત્પાદિત ઉત્પાદનો બીચ પર રહેતા લોકો માટે આજીવિકાનુ સાધન પણ બનાવે છે.

દરિયાઈ વાવાઝોડા ઘણો વિનાશ કરી ચૂક્યા છે
જો કે દેશની સૌથી મોટી દરિયાઈ સીમા ધરાવતા રાજ્યમાં અનેક ચક્રવાતી તોફાનો આવી રહ્યા છે, પરંતુ 1998માં આવેલા ગુજરાત ચક્રવાતી તોફાને ભયંકર તબાહી સર્જી હતી. જાનમાલને વ્યાપક નુકસાન થયું હતું. લગભગ 10 હજાર લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો અને અબજો રૂપિયાની સંપત્તિનો નાશ થયો હતો. તે પછી 2014માં નીલોફર, 2017માં ઓખી, 2019માં વાયુ અને 2021માં તોત કે ટોકટે ચક્રવાતે જબરદસ્ત વિનાશ કર્યો હતો. આ ચક્રવાતમાં 174 થી વધુ લોકોના મોત થયા હતા અને અબજો રૂપિયાનું નુકસાન થયું હતું.

વિભાગ દ્વારા કરવામાં આવે છે વૃક્ષારોપણ
સુરત જિલ્લા વન અધિકારીના જણાવ્યા મુજબ સુરતના દરિયા કિનારે લગભગ સાત હજાર હેક્ટરમાં આ વન પથરાયેલુ છે. તેમાં દર વર્ષે પાંચ ટકાના દરે વધારો થઈ રહ્યો છે. તેના બીજ વિભાગ દ્વારા દરિયાની અંદર જઈને એકત્રિત કરવામાં આવે છે અને તેની બાજુમાં વાવેતર કરવામાં આવે છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
