'વાયુ' વાવાઝોડાથી બચવા 10 ચીની જહાજે ભારતમાં આશ્રય લીધો
'વાયુ' વાવાઝોડાથી બચવા 10 ચીની જહાજે ભારતમાં આશ્રય લીધો
નવી દિલ્હીઃ અરબ સાગરમાં હવાના ઓછા દબાણની સ્થિતિને પગલે ઉત્પન્ન થયેલ ચક્રવાત વાયુ મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ દરમિયાન ચક્રવાતી તોફાન વાયુના પ્રભાવથી બચવા માટે 10 ચીની જહાજોએ ભારતમાં શરણ લીધી છે. આ જહાજોને મહારાષ્ટ્રના રત્નાગિરી બંદરમાં શરણ આપવામાં આવી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આ તોફાનને પગલે દેશના પશ્ચિમી તટો પર તેજ વરસાદ થઈ શકે છે. ચક્રવાતી તોફાન 12-13 જૂને સૌરાષ્ટ્રના તટ પર દસ્તક આપી શકે છે, જેની ગતિ 110-120 કિમી પ્રતિ કલાકથી 135 કિમી પ્રતિ કલાક રહી શકે છે.

ચીની જહાજે ભારતમાં આશ્રય લીધો
ભારતીય તટરક્ષક મહાનિરીક્ષક કે.આર. સુરેશે જણાવ્યું કે ચક્રવાત વાયુથી બચવા માટે મંગળવારે 10 ચીની જહાજને રત્નાગિરી બંદરમાં સહારો આપવામાં આવ્યો છે. માનવીય આધાર પર ભારતીય તટરક્ષક બળે તેમને સુરક્ષા ઘેરા અંતર્ગત ત્યાં રહેવાની મંજૂરી આપી દીધી છે. બીજી બાજુ ચક્રવાત વાયુથી નિપટવા માટે ગુજરાત પ્રશાસન હાઈ અલર્ટ પર છે, જે બુધવારે વેરાવળ નજીક તટ પર પહોંચવાની સંભાવના છે.

વિજય રૂપાણીએ સમીક્ષા બેઠક બોલાવી
ગુજરાતના મુખ્ય સચિવ મુજબ વાયુ ચક્રવાત વેરાવળ પાસે બુધવારે સવારે 6 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે ટકરાઈ શકે છે. જેને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક સમીક્ષા બેઠક પણ બોલાવી. એનડીઆરએફની ટીમને સૌરાષ્ટ્ર અને ગિર સોમનાથ મોકલી આપવામાં આવી છે.
|
વેરાવળમાં આ સમયે ટકરાશે વાવાઝોડું
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંગળવારે કહ્યું કે તટીય વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે મોકલવામાં આવશે. હવામાન વિભાગ સંબંધિત હાલના રિપોર્ટ મુજબ ચક્રવાત વાયુ વેરાવળ તટથી 650 કિમી દક્ષિણમાં સ્થિત છે અને આગામી 12 કલાકમાં તે તીવ્ર ચક્રવાતી તોફાનમાં બદલાય તેવી આશંકા છે. તટીય ક્ષેત્રોમાં માછીમારોને આગામી કેટલાક દિવસ સુધી સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ બંદરગાહોને ખતરાના સંકેત અને સૂચના જાહેર કરવા કહેવામાં આવ્યું છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
