પિતાના મોત બાદ 10 વર્ષના બાળકે શરૂ કરી લારી, એક FB પોસ્ટે બદલી જિંદગી
10 વર્ષનો સુનીલ રોજ સવારે ઘરેથી લારી લઈને રેલવે સ્ટેશનની બહાર લગાવવા લાગ્યો અને મસાલા બટાકા વેચવા લાગ્યો. વિસ્તારથી જાણો તેની કહાની -
કહેવાય છે કે બાળપણ દરેક દુઃખથી અજાણ હોય છે. દરેક ચિંતા રમકડા જેવી લાગે પરંતુ જરા વિચારો કે જો બાળપણમાં જ કોઈ બાળકને પરિવારની જવાબદારી મળી જાય તો તેની જિંદગી કેવી હશે. આવુ જ થયુ છે 10 વર્ષના સુનીલ સાથે. પિતાના નિધન બાદ પરિવારના 7 લોકોનુ પેટ પાળવાની જવાબદારી સુનીલ પર છે. પિતાના વારસામાં મળેલી શેકેલા મસાલા બટાકાની લારી જ હવે સુનીલનો સહારો છે. સ્થાનિક લોકો કહે છે કે 10 વર્ષનો સુનીલ રોજ સવારે ઘરેથી લારી લઈને રેલવે સ્ટેશનની બહાર લગાવવા લાગ્યો અને મસાલા બટાકા વેચવા લાગ્યો. વિસ્તારથી જાણો તેની કહાની -

પરિવારનો કોઈ સહારો નહોતો તો સુનીલે પોતાના ખભે ઉઠાવી જવાબદારી
બગહા નગર વિસ્તારના વૉર્ડ નંબર 10 રહેતા રાજન ગોડનુ નિધન ચાર મહિના પહેલા થઈ ગયુ હતુ. રાજન જ પોતાની 55 વર્ષીય વિધવા મા, પત્ની અને છ બાળકોના ભરણપોષણનો એકમાત્ર સહારો હતો. રાજનના મોત બાદ આખો પરિવીર અનાથ અને નિસહાય થઈ ગયો. રાજનના મોત બાદ આખા પરિવાર પર માનો જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો. આ બધાની સામે જીવન જીવવા ટે બે ટંકના ભોજનનો પણ કોઈ સહારે ન રહ્યો ત્યારે 10 વર્ષીય સુનીલે આખા પરિવાવરની ગાડી પોતાના ખભે ઉઠાવવાનુ નક્કી કર્યુ. પિતાની લારી લીને પોતાના નાના ડગલાથી ધક્કો મારીને રેલવે સ્ટેશન પાસે પહોંચ્યો અને મસાલા બટાકા વેચવા લાગ્યો.

ફેસબુક પર એક વ્યક્તિએ પોસ્ટ કરી સુનીલની કહાની તો મદદ માટે આગળ આવ્યા લોકો
એક અઠવાડિયા પહેલા સ્થાનિક વ્યક્તિ અને સામાજિક કાર્યકર્તા અજય પાંડેયની નજર સુનીલ પર પડી જે હાડ ધ્રૂજાવી દેતી ઠંડીમાં ગ્રાહકોની રાહમાં પોતાની લારી પાસે ઉભો હતો. અજય પાંડેયે આ ફોટો અને સુનીલ વાત કર્યા બાદ તેના પરિજનોની કહાની પોતાના ફેસબુક વૉલ પર પોસ્ટ કરી દીધી. ફેસબુક પોસ્ટ પર મળેલી પ્રતિક્રિયાએ લોકોને મદદ માટે પ્રેરિત કર્યા. આ પોસ્ટે સુનીલની જિંદગી બદલી દીધી. લોકો મોટી સંખ્યામાં મદદ માટે સામે આવવા લાગ્યા. એક અઠવાડિયાની અંદર ફેસબુક પર આ પોસ્ટ સંવેદનાનુ કેન્દ્ર બની ગયુ. સુનીલના પડોશી હરિ પ્રસાદ પણ સુનીલના પરિજનોની મદદ માટે આગળ આવ્યા અને તેને ફરીથી સ્કૂલમાં બેસાડ્યો. હરિ અન્ય વાલીની જેમ રોજ સુનીલને રોજ સ્કૂલે મૂકવા જાય છે.

સુનીલની માનુ ખોલાવ્યુ બેંક અકાઉન્ટ અને મદદ માટે ફેસબુક પર નાખી દીધુ
સામાજિક કાર્યકર્તા અજયે સુનીલની માનુ બેંકમાં ખાતુ પણ ખોલાવી દીધુ અને પોતાના ફેસબુક પર અકાઉન્ટ નંબર પણ શેર કરી દીધો. અજય કહે છે કે બેંક ખાતામાં પણ લોકો રોકડ રકમ મોકલીને પરિવારને મદદ કરી રહ્યા છે. અજય કહે છે કે સુનીલની માના ખાતામાં લોકો લગભગ 45 હજાર રૂપિયા મોકલી ચૂક્યા છે. સુનીલની દાદી માટે સ્થાનિક લોકો હવે ઈન્દિરા આવાસ અપાવવા માટે કાર્યરત છે. સુનીલ પણ આ પ્રયત્નની પ્રશંસા કરતા થાકતો નથી.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
