તમિલનાડુ: ટ્રેનના 11 ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા, ચારના મોત
રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર અકસ્માતમાં 2 મુસાફરોના મોત નિપજ્યાં છે જ્યારે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર 4 લોકોના મોત નિપજ્યાં છે. મૃતકોની સંખ્યા વધી શકે છે. 50થી વધુ ઘાયલ લોકોને દક્ષિણી રેલવેના બચાવદળે હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યાં છે. અકસ્માતમાં ટ્રેનના 11 કોચ પાટા પરથી ઉતરી પડ્યા હતા. જેમાં પાંચ એસી કોચ, પાંચ નોન એસી કોચ તથા પેંટ્રી કોચનો સમાવેશ થાય છે. રાહત અને બચાવ ટીમને ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી છે.
લેન્ડલાઇન
નંબર:
080-22876288,
080-22203269,
080-22876410
અને
080-22156190
મોબાઇલ
નંબર:
8861309572।
ઘટનાને ધ્યાનમાં રાખતાં અરાક્કોનમ જંકશનમાં રેલ ટ્રાફિક પર અસર વર્તાઇ છે. વર્ષ 2011માં સિથારીમાં અરાક્કોનમ-કટપાડી યાત્રી ટ્રેનને ચેન્નઇ વચ્ચે વેલ્લોર કેંટોનેમેંટ મેનલાઇન ઇલેક્ટ્રિકલ મલ્ટીપલ યુનિટ દ્રારા ટક્કર મારવામાં આવતાં નવ લોકોના મોત નિપજ્યાં હતા.