તમિલનાડૂના વિરુદ્ધનગરમાં આગની ઘટનામાં 11ના મોત, પીએમ મોદીએ જતાવ્યું દુખ
તામિલનાડુમાં એક મોટો અકસ્માત થયો છે. અહી ફટાકડાની ફેક્ટરીમાં ભારે આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના વાહનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ત્યાં આગને કાબૂમાં લેવાનું કામ ચાલુ છે. શરૂઆતમાં આ ઘટનામાં એક વ્યક્તિના
તામિલનાડુમાં એક મોટો અકસ્માત થયો છે. અહી ફટાકડાની ફેક્ટરીમાં ભારે આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના વાહનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ત્યાં આગને કાબૂમાં લેવાનું કામ ચાલુ છે. શરૂઆતમાં આ ઘટનામાં એક વ્યક્તિના મોત થયાના સમાચાર હતા, પરંતુ હવે આ આંકડો વધીને 11 થઈ ગયો છે. પોલીસ-પ્રશાસનની ટીમો પણ આસપાસના મકાનોને ખાલી કરી રહી છે. આ સાથે જ પીએમ મોદીએ પણ આ ઘટના પર દુ: ખ વ્યક્ત કર્યું છે. તેમજ મૃતકના સબંધીઓને 2 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.
મળતી માહિતી મુજબ શુક્રવારે બપોરે વિરુદ્ધનગર સ્થિત ફટાકડાના કારખાનામાં અચાનક આગ લાગી હતી. ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમો ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધી આગએ એક ભયાનક રૂપ ધારણ કરી લીધું હતું. ઘટના સ્થળે અગ્નિશામક કામગીરી હજુ પણ ચાલુ છે. આ ઘટનામાં અત્યાર સુધી 11 લોકોનાં મોત થયાં છે, જેમાં કેટલીક મહિલાઓનો પણ સમાવેશ છે. તેમજ 6 લોકો ઘાયલ હોવાનું પણ જણાવાયું છે. જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બચાવ કામગીરી ચાલુ
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર તેણે અવાજ જેવો ધડાકો સાંભળ્યો, ત્યાં પહોંચતાની સાથે જ કારખાનામાં જ્વાળાઓ ભરાઈ ગઈ. સ્થાનિક લોકો પોલીસ-પ્રશાસનને પણ બચાવ કામગીરીમાં મદદ કરી રહ્યા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગના કારણો હજુ સુધી જાણી શકાયા નથી, પરંતુ ફટાકડા ફેક્ટરીને કારણે ભારે નુકસાનનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
રાહુલ ગાંધીએ જતાવ્યુ દુખ
આ સાથે જ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ આ ઘટના પર દુ: ખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું છે કે વિરુધ્ધાનગર અકસ્માતમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે મારી સંવેદના. તેમજ હું ઇચ્છું છું કે ત્યાં ફસાયેલાઓ સુરક્ષિત રહે. આ ઉપરાંત, હું રાજ્ય સરકારને સ્થળ ઉપર જરૂરી મદદ આપવા વિનંતી કરું છું.
કુડ્ડાલોરમાં પણ ભારે આગ લાગી
તમને જણાવી દઈએ કે 6 મહિનાની અંદર તામિલનાડુમાં ફટાકડા ફેક્ટરીમાં અકસ્માતનો આ બીજો કેસ છે. આ અગાઉ સપ્ટેમ્બર 2020 માં કુડ્ડાલોર સ્થિત ફટાકડા ફેકટરીમાં ધડાકો થયો હતો. તે અકસ્માતમાં સાત લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 4 લોકો ખરાબ રીતે ઘાયલ થયાં હતાં. આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારખાનાના કામદારો ઉડી ગયા હતા અને તેના માલિકનું પણ મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો: ડિસએંગેજમેન્ટ પર રાહુલના સવાલોનો રક્ષા મંત્રાલયે આપ્યો જવાબ, કહ્યું- મીડિયા ફેલાવી રહ્યું છે ખોટી માહિતી