2 September Covid Update : છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નોંધાયા 6,168 પોઝિટિવ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, એક દિવસમાં કોરોનાવાયરસના સંક્રમણના 6,168 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે ભારતમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 4,44,42,507 થઈ ગઈ છે.
2 September Covid Update : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, એક દિવસમાં કોરોનાવાયરસના સંક્રમણના 6,168 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે ભારતમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 4,44,42,507 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના શુક્રવારના રોજ અપડેટ કરાયેલ ડેટા અનુસાર સક્રિય કેસ ઘટીને 59,210 થઈ ગયા છે.

છેલ્લા 24 કલાકમાં 21 કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયા
શુક્રવારના રોજ સવારે 8 કલાકે અપડેટ કરાયેલા ડેટા જણાવે છે કે, અત્યાર સુધીમાં 5,27,932 લોકોના કોરોના સંક્રમણને કારણે મૃત્યુ પામ્યા છે, જેમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 21 જાનહાનિનો સમાવેશ થાય છે, જે કેરળ દ્વારા સમાધાન કરાયેલા બે મૃત્યુને ધ્યાનમાં લે છે.

સક્રિય કોવિડ કેસ લોડમાં 3,538 કેસનો ઘટાડો
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, સક્રિય કેસોમાં કુલ સંક્રમણના 0.13 ટકાનો સમાવેશ થાય છે, જેમાં એક વખત ચેપગ્રસ્ત લોકોમાંથી 98.68 ટકા લોકો સંક્રમણ સામે લડવામાં સક્ષમ છે. 24 કલાકના ગાળામાં સક્રિય કોવિડ કેસ લોડમાં 3,538 કેસનો ઘટાડો નોંધવામાં આવ્યો છે.

વર્તમાન મૃત્યુ દર 1.19 ટકા
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ડેઇલી પોઝિટિવિટી રેટ 1.94 ટકા અને વીકલી પોઝિટિવિટી રેટ 2.51 ટકા નોંધાયો હતો. આ રોગમાંથી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા 4,38,55,365 પર પહોંચી ગઈ છે. વર્તમાન મૃત્યુ દર 1.19 ટકા છે.

કોવિડ રસીના 212.75 કરોડ ડોઝ આપવામાં આવ્યા
કેન્દ્રીય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશવ્યાપી કોવિડ રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના 212.75 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ભારતની કોવિડ-19 સંખ્યા 7 ઓગસ્ટ, 2020 ના રોજ 20-લાખના આંકને વટાવી ગઈ હતી અને 19 ડિસેમ્બર, 2020 ના રોજ એક કરોડના આંકને વટાવી ગઈ હતી.

છત્તીસગઢ અને ગુજરાતના બે-બે કેસ નોંધાયા
ભારતે 4 મેના રોજ બે કરોડ, ગયા વર્ષે 23 જૂનના રોજ ત્રણ કરોડ અને આ વર્ષે 25 જાન્યુઆરીએ ચાર કરોડનો ગંભીર માઈલસ્ટોન પાર કર્યો હતો. 19 નવા મૃત્યુમાં મહારાષ્ટ્રના ચાર, દિલ્હી અને પશ્ચિમ બંગાળના ત્રણ-ત્રણ, છત્તીસગઢ અને ગુજરાતના બે-બે અને હરિયાણા, હિમાચલ પ્રદેશ, કેરળ, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાંથી એક-એકનો સમાવેશ થાય છે.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાતમાં ગુરૂવારના રોજ કોરોના સંક્રમણના 182 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 255 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. આ સાથે અમદાવાદ અને ગીર-સોમનાથમાં એક-એક કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયું હતું.

રાજ્યમાં કુલ 11,013 લોકોના મોત
આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન બે કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયું છે. જે બાદ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 11,013 લોકોએ કોરોના સંક્રમણને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1518 થઇ
આ સાથે રાજ્યમાં કુલ 12,57,837 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1518 થઇ છે. જેમાંથી 10 ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.

કુલ 12,36,63,775 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
રાજ્યમાં કુલ 12,36,63,775 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોવિડના નવા દર્દીઓની સંખ્યામાં દરરોજ વધઘટ થઈ રહી છે.

68,565 કોરોના વેક્સિનના ડોઝ અપાયા
રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 99.01 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 1,51,646 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
