LOC પર પહોંચ્યા 200 ઉગ્રવાદીઓ, ભારતમાં ઘૂસવાની ફિરાકમાં : સૂત્રો
શ્રીનગર, 7 ડિસેમ્બર : ભારતના ઉત્તરી રાજ્ય જમ્મુ કાશ્મીરમાં તબક્કાવાર રીતે વિધાનસભા ચૂંટણીઓ યોજાઇ રહી છે. આ ગાળામાં આતંકવાદીઓએ ભારતની લશ્કરી છાવણી પર હુમલો કરીને લશ્કરના જવાનોને મોતને ઘાટ ઉતાર્યાની ઘટનાની ચર્ચા ચાલુ છે ત્યારે માહિતી મળી છે કે લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી) પર અંદાજે 200 જેટલા આતંકવાદીઓ પહોચી ગયા છે અને ભારતમાં ઘૂસણખોરી કરવાની તાકમાં છે.
છેલ્લા ઘણા સમયથી ભારતની સરહદ પર હલચલ ચાલી રહી છે. ભારતમાં ઘટી રહેલી આતંકવાદની ઘટનાઓ તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. જમ્મુનો સાંબા હોય કે રાજૌરી વિસ્તાર, પૂંછ હોય કે પછી કાશ્મીર ઘાટી વિસ્તાર આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલા સૌથી મોટા લોકશાહી ઉત્સવ ચૂંટણીઓમાં ખલેલ પહોંચાડવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે.

આ અંગે સૂત્રોની વાત માનવામાં આવે તો જાણવા મળ્યું છે કે ભારતની સરહદ પર હજી પણ 200થી 300 આતંકવાદીઓ છે, જે ભારતમાં ઘૂસવાની ફિરાકમાં છે. બીજી તરફ ભારતની સરહદની રક્ષા કરી રહેલા સેનાના જવાનોનું કહેવું છે કે પાકિસ્તાનને તેના કોઇ પણ નાપાક હેતુમાં સફળ થવા દેવામાં આવશે નહીં.
નોંધનીય છે કે શુક્રવારે થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 21 લોકો માર્યા ગયા છે. આ હુમલામાં 8 જવાનો પણ શહીદ થયા છે અને 11 જવાનો ઘાયલ થયા છે. ભારે હથિયારો સાથે આતંકવાદીઓએ એક સૈન્ય શિબિર તથા પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો.
આ ઉપરાંત ત્રણ જગ્યાઓ પર સુરક્ષાકર્મીઓના દળો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આતંકવાદીઓ પાસે લાઇવ ગ્રેનેડ મળી આવ્યા હતા. આતંકવાદીઓ પાસેથી ખાવાના જે પેકેટ્સ મળી આવ્યા હતા તેની પર પાકિસ્તાનનું લેબલ લાગેલું હતું. આ બાબત સ્પષ્ટ કરે છે કે આ બધા પાછળ પાકિસ્તાનનો હાથ છે.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
