બાબા રામદેવની ત્રણ નવી ચેનલને મળી મંજૂરી
બાબા રામદેવની લોકપ્રિયતા સાથે સાથે તેમનો બિઝનેસ પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે. બાબા રામદેવને પસંદ કરનાર લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે.
બાબા રામદેવની લોકપ્રિયતા સાથે સાથે તેમનો બિઝનેસ પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે. બાબા રામદેવને પસંદ કરનાર લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. પતંજલિ ગ્રુપ કંપની વેદિક બ્રોડકાસ્ટ લિમિટેડને ત્રણ નવી ચેનલ લોન્ચ કરવા માટે મંજૂરી મળી ચુકી છે. ઇકોનોમિક્સ ટાઈમ્સ રિપોર્ટ અનુસાર આ ચેનલ તમિલ, તેલુગુ અને કન્નડ ભાષાઓમાં આવતા મહિને લોન્ચ થશે.
કેટલાક મહિના પહેલા એપ્લિકેશનમાં કેટલીક ખામીઓને કારણે ચેનલને મંજૂરી મળી ના હતી. આપણે જણાવી દઈએ કે વેદિક બ્રોડકાસ્ટ લિમિટેડ આચાર્ય બાલકૃષ્ણના હાથમાં છે, જેઓ પતંજલિના સીઈઓ પણ છે.
આ ચેનલો માટે સૂચના અને પ્રસારણ મંત્રી રાજ્યવર્ધન રાઠોડે મંજૂરી આપી દીધી છે. પતંજલિ પ્રોડક્ટના પ્રવક્તા ઘ્વારા જણાવ્યા અનુસાર આ ચેનલનું લક્ષ્ય દક્ષિણ ભારતમાં વેદિક જ્ઞાનનો પ્રચાર કરવાનું છે. હવે ફક્ત સેટેલાઇટ સાથે જોડાયેલી મંજૂરી માટે રાહ જોવાઈ રહી છે, જે થોડા જ દિવસોમાં મળી શકે છે.
વેદિક બ્રોડકાસ્ટ લિમિટેડ સલાહકાર અને રાષ્ટ્રીય પ્રમુખ ઘ્વારા જણાવ્યા અનુસાર નેટવર્કના મલયાલમ ચેનલ જુલાઈમાં લોન્ચ કરવામાં આવશે. કંપનીએ યોગ અધ્યન, આયુર્વેદ જેવું કન્ટેન્ટ મેળવીને 400 કલાકનો કન્ટેન્ટ તૈયાર કરી નાખ્યો છે. જેના દક્ષિણ ભારતીય ભાષાઓમાં ડબ કરવામાં આવશે.