માત્ર ભારતીય નાગરિકોને જ મળશે NPR, તેના વગર નહીં આપી શકો મત!
નવી દિલ્હી, 30 જૂનઃ ગેરકાયદે રીતે દેશમાં રહી રહેલા લોકોની ઓળખના ચૂંટણી વાયદાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર હવે સક્રિય થઇ ગઇ છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે ભારતીય નાગરિકોની ઓળખ પ્રક્રિયા તેજ કરવાના નિર્દેશ આપ્યા છે. મંત્રાલયે નાગરિકોને નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર(એનપીઆર)માં રજીસ્ટર કરવા માટે અધિકારીઓને ત્રણ વર્ષનો સમય આપ્યો છે. સરકાર ઇચ્છે છેકે દેશભરમાં ઘરે ઘરે જઇને વેરિફિકેશન કરવામા આવે અને માત્ર ભારતીય નાગરીકોને જ એનપીઆર કાર્ડ આપવામાં આવે.

સમાચાર પત્રમાં એક અધિકારીના હવાલાથી જણાવવામાં આવ્યું છેકે, આ એક મોટું અભિયાન હશે અને તેની પ્રક્રિયાને તાલુકાની ઓફિસોથી પૂર્ણ કરવામાં આવશે. રેવન્યુ અધિકારી દરેક જિલ્લામાં વેરિફિકેશનની પ્રક્રિયા પર નજર રાખશે. એનપીઆર પ્રોજેક્ટનો કન્સેપ્ટ 2010મા યુપીએ કાર્યકાળમાં લાવવામાં આવ્યો હતો. બાયોમેટ્રિક ઓળખના અનેક ફીચર્સ યુનીક આઇડેંટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલેકે આધાર કાર્ડને મળતા આવે છે. જોકે મોદી સરકારે એનપીઆ પ્રોજેક્ટને પ્રાથમિકતા આપી છે.












Click it and Unblock the Notifications
