મુંબઇમાં મધરાતે ઇમારત ધસી, 4નાં મોત

મધરાતે માહિમમાં ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હતી. આ ઘટનાક્રમથી લોકોમાં ભય ફેલાયો હતો. મૃતક વ્યક્તિઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. મુંબઈનાં કેડેલ રોડ સ્થિત અલતાફ નામની ધરાશયી થયેલી બિલ્ડીંગનાં કાટમાળમાં હજું પણ અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. મ્યુનિસપલ કોર્પોરેશન તરફથી રાહતકાર્ય ચાલી રહ્યું છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં સારવાર અપાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે ચોમાસુ નજીક આવતા જ મુંબઇ મહાનગર પાલિકાએ જર્જરિત અને જોખમી ઇમારતોને તોડી પાડવાના આદેશો આપ્યા હતા જેથી આવી દુર્ઘટનાઓ ટાળી શકાય. ઘાયલોને બાંદ્રાની ભાભા હોસ્પિટલ ઉપરાંત કેઇએમ અને સાયન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. મૃતક મહિલાનું નામ જૈબુનનિસા અબ્દુલ સત્તાર લાખા હોવાનું જાણવા મળ્યું છે.












Click it and Unblock the Notifications
