પ્રેમમાં ફસાવીને માણતો સંબંધ, ગર્લફ્રેન્ડની સાથે કરતો હતો ક્રાઇમ
બિકીની કિલરના નામથી જાણીતા ચાર્લ્સ શોભરાજના જીવન પર બનેલી ફિલ્મ "મૈં ઔર ચાર્લ્સ" આવતીકાલે એટલે કે 30 ઓક્ટોબરના રોજ ફિલ્મી પડદે રિલીઝ થઇ રહી છે. "મૈં ઔર ચાર્લ્સ"માં રણદીપ હુડ્ડા ચાર્લ્સનો કીરદાર નિભાવી રહ્યાં છે. જ્યારે ફિલ્મને પ્રવાલ રમણે ડાયરેક્ટ કરી છે.
વર્ષ 1970ના દશકમાં સાઉથ ઇસ્ટ એશિયાના કેટલાક દેશોમાં વિદેશી પ્રવાસીઓને પોતાનો શિકાર બનાવનાર ચાર્લ્સ શોભરોજ ચોરી અને છેતરપીંડિનો પણ અઠંગ ખિલાડી હતો. દિલ્હીની તિહાડ જેલમાંથી ભાગવાથી લઇને માત્ર 20 વર્ષની યુવતી સાથે લગ્ન કરવા સુધીની ચાર્લ્સની જીવન અને ગુનાની યાત્રા ઘણી રોચક છે. ત્યારે ફિલ્મી પડદે ચાર્લ્સને નિહાળતા પહેલા આવો જાણીએ રીઅલ લાઇફમાં ચાર્લ્સ શોભરાજ વિશે કેટલાક તથ્યો.

નામ અને જન્મ
શોભરાજનો જન્મ વિયેતનામમાં થયો હતો. વિયેતનામી માં અને ભારતીય પિતાની સંતાન ચાર્લ્સ શોભરાજનું સાચુ નામ હતચંદ ભાઓનાની ગુરૂમુખ ચાર્લ્સ શોભરાજ છે.

પ્રેમ, સેક્સ અને હત્યા
ચાર્લ્સને ક્રાઇમની દુનિયામાં બિકની કિલરના નામે ઓળખવામાં આવે છે. જી હા, 1970ના સમયમાં તેણે 24 લોકોની હત્યા કરી હતી. જેમાંથી મોટાભાગની વિદેશી પ્રવાસી મહિલાઓ હતી. તે વિદેશી પ્રવાસી મહિલાઓને નશા વાળી દવા આપીને, તેની સાથે સંબંધ બનાવીને તેમની હત્યા કરી નાખતો હતો.

તિહાડ જેલમાંથી ફરાર
ચાર્લ્સે વર્ષ 1976માં ભારત ફરવા આવેલા એક ફ્રેંચ ગૃપને મોતની નિદ્રામાં ધકેલી દીધુ હતુ. આ સાથે જ ચાર્લ્સને ઇઝરાયેલી ટુરીસ્ટની હત્યાના આરોપમાં સાત વર્ષની સજા મળી હતી. ત્યારબાદ તે વર્ષ 1986માં પોતાના સાથીઓ સાથે તિહાડ જેલમાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. ત્યારબાદ પકડાયો હતો અને સજા પૂરી કરીને ફ્રાંસમાં જતો રહ્યો હતો. ત્યારબાદ નેપાળયાત્રા દરમ્યાન તેને પકડીને આજીવન કારાવાસની સજા આપી દેવામાં આવી હતી. હાલમાં ચાર્લ્સ નેપાળની જેલમાં બંધ છે.

નિહિતા સાથે પ્રેમ
નેપાળમાં સજાના દિવસો દરમ્યાન ચાર્લ્સને એક નેપાળી યુવતી નિહિતા વિશ્વાસ સાથે પ્રેમ થઇ ગયો હતો. જેલમાં જ બંનેએ લગ્ન કરી લીધા. લગ્નના સમયે નિહિતા માત્ર 20 વર્ષની જ્યારે ચાર્લ્સ 64 વર્ષનો હતો. જો કે નિહિતા પણ ખુલ્લેઆમ ચાર્લ્સ સાથે પ્રેમનો સ્વીકાર કરી ચૂકી છે.

ગર્લફ્રેન્ડની સાથે કરતો હતો ક્રાઇમ
આમ તો ચાર્લ્સે ઘણી યુવતીઓ સાથે સંબંધો બનાવ્યા છે. પરંતુ સૌથી ફેમસ લવ અફેર થાઇલેન્ડમાં તેની ગર્લફ્રેન્ડ મેરી એન્ડ્રીની સાથે હતુ. ચાર્લ્સે મેરીની સાથે ઘણા ગુનાઓને અંજામ આપ્યો હતો.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
