64 વર્ષનું થયું ભારતીય ગણતંત્ર, રાષ્ટ્રપતિએ ફરકાવ્યો ઝંડો
ગણતંત્ર દિવસ સમારોહ માટે દિલ્હીમાં ચારેકોર તમામ સ્થાનો પર સુરક્ષા વધારાયી છે. સમારોહની સુરક્ષાને ધ્યનમાં રાખીને અર્ધસૈનિક બળના જવાન અને એનએસજીના શાર્પશૂટર સહિત અંદાજે 25,000 પોલીસકર્મી તેનાત કરવામાં આવી છે. મોટી ઇમારતો પર બંદૂકઘારીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે 150થી વધારે સીસીટીવી કેમેરાની મદદથી રાજપથ અને લાલ કિલ્લાના વિસ્તારમાં કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.
સચલ દસ્તા, વિમાનભેદી તોપ અને એનએસજીના શાર્પશૂટર્સ ઘણા સ્થાનો પર તેનાત છે, જ્યારે અર્ઘસૈનિક દળ અને દિલ્હી પોલીસના જવાનો ગણતંત્ર દિવસે પરેડને લઇને રાયસીના હિલ્સથી લાલ કિલ્લા વચ્ચે આઠ કિ.મિ સુધીમાં તેનાત છે. રાજપથની ચારેકોર કડક સુરક્ષાવ્યવસ્થા છે.
તોડફોન ગતિવિધિ નિયંત્રણ અને જાસૂસી જાણકારી સમન્વય પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. પરેડના આખા માર્ગમાં વિશેષ સુરક્ષા અને આતંક વિરોધી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.