મુંબઈમાં બિલ્ડીંગ સાથે ટકરાયું ચાર્ટર પ્લેન, 2 પાયલેટ સહીત 5 ની મૌત
ઘાટકોપર વિસ્તારમાં એક બિલ્ડીંગ પર ચાર્ટર પ્લેન ટકરાવવાથી લોકોમાં અફરાતફરી મચી ગયી છે. જે બિલ્ડીંગ સાથે ચાર્ટર પ્લેન અથડાયું છે તેમાં કામ ચાલી રહ્યું હતું.
ઘાટકોપર વિસ્તારમાં એક બિલ્ડીંગ પર ચાર્ટર પ્લેન ટકરાવવાથી લોકોમાં અફરાતફરી મચી ગયી છે. જે બિલ્ડીંગ સાથે ચાર્ટર પ્લેન અથડાયું છે તેમાં કામ ચાલી રહ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે એક વ્યક્તિને પ્લેનમાં લાગેલી આગની લપેટોમાંથી બહાર આવતો જોવામાં આવ્યો હતો. જોનાર લોકો અનુસાર આ વિમાન પહેલા રસ્તા પર પડ્યું. ત્યારપછી તે બિલ્ડીંગ સાથે અથડાયું. જગ્યા પર ગાડીઓ આવી ચૂક્યું છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
હાલમાં આ ચાર્ટર પ્લેન યુપી સરકારનું બતાવવામાં આવી રહ્યું છે. આ વિમાન બિલ્ડીંગ સાથે અથડાયા પછી એક જોરદાર ધમાકો થયો આગની લપેટો દૂર દૂર સુધી દેખાઈ રહી હતી. આસપાસના લોકોમાં હડકંપ મચી ગયો હતો.
#Mumbai: A chartered plane has crashed near Jagruti building in Ghatkopar where construction work was going on. More details awaited pic.twitter.com/QvDGtJqYF3
— ANI (@ANI) June 28, 2018
વિમાન બિલ્ડીંગ સાથે અથડાવવાથી બિલ્ડિંગમાં પણ આગ લાગી ગયી અને આગ આસપાસના વિસ્તારોમાં પણ ફેલાઈ ગયી. પહેલા આ વિમાન યુપી સરકારનું ગણાવવામાં આવી રહ્યું હતું. પરંતુ યુપી સરકારે તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
Two pilots, two Aircraft Maintenance Engineers on board & one person on ground are dead in the Mumbai chartered plane crash: Directorate General of Civil Aviation
— ANI (@ANI) June 28, 2018
આ વિમાન દુર્ઘટનામાં 5 લોકોના મરવાની ખબર આવી રહી છે. આ ભીષણ દુર્ઘટનામાં 2 પાયલોટ, 2 એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયર અને એક નાગરિકના મરવાની ખબર છે. આ ઘટના પર પ્રિન્સિપાલ સેકટરી અવનિશ અવસ્થી ઘ્વારા જાણકારી આપવામાં આવી છે કે આ પ્લેન યુપી સરકારનું નથી. આ પ્લેન અલાહાબાદમાં દુર્ઘટનાગ્રસ્ત થયા પછી તેને મુંબઈ હવાઈ એવિયેશનને વેચી દેવામાં આવ્યું હતું.