દિલ્હીમાં પ્રદુષણ નિયંત્રણ માટે લાગુ કરાયો નવો કાયદો, ઉલ્લંઘન કરવા પર 1 કરોડનો દંડ
કેન્દ્ર સરકારે દિલ્હીમાં વધતા પ્રદૂષણને રોકવા માટે વટહુકમ પસાર કર્યો છે, જે અંતર્ગત દિલ્હીમાં પ્રદૂષણ ફેલાવવા બદલ 5 વર્ષની કેદની સજા સાથે એક કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. બુધવારે રાત્રે રાષ્ટ્રપત
કેન્દ્ર સરકારે દિલ્હીમાં વધતા પ્રદૂષણને રોકવા માટે વટહુકમ પસાર કર્યો છે, જે અંતર્ગત દિલ્હીમાં પ્રદૂષણ ફેલાવવા બદલ 5 વર્ષની કેદની સજા સાથે એક કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. બુધવારે રાત્રે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા વટહુકમને મંજૂરી આપવામાં આવી હતી.
આ અઠવાડિયે, દિલ્હીના સોલિસિટર જનરલ, તુષાર મહેતાએ એક પીઆઈએલની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દિલ્હીમાં પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે સ્ટેબલ, વાહન ઉત્સર્જન અને ગેરકાયદેસર ઉદ્યોગોને નષ્ટ કરવા કડક કાયદા લાવશે.
વટહુકમ મુજબ, દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં નેશનલ કેપિટલ રિજન (એનસીઆર) અને તેની સાથેના વિસ્તારોમાં એક એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન બનાવવામાં આવશે. વટહુકમ હેઠળના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ ઉલ્લંઘનકર્તાને કેદ અને દંડની સજા થઈ શકે છે.
આ પણ વાંચો: ફ્રાંસમાં ચર્ચની અંદર ચાકુથી હુમલો, આતંકીએ મહિલાનું માથુ કર્યું કલમ