બજેટ સત્રમાં AAP હિડનબર્ગ મુદ્દા પર ચર્ચાની માગ કરી છે, સર્વદળીય બેઠકમાં સંજય સિહે કરી આ વાત
બજેટ સત્ર પહેલા સસંદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશી દ્વારા સર્વદળીય બેઠક બોલાવામાં આવી હતી. બેઠકમાં આવેલા આપ નેતા સજય સિંહ હિડનબર્ગ મુદ્દા પર ચર્ચાની માગ કરી તી.
અમેરિકા સ્થિત રિસર્ચ ફર્મ હિંડસબર્ગની રિપોર્ટ પર રાજનિતિક તોફાન ઉભૂ થઇ ગયુ છે. જેનાથી અદાણી કંપનીના શેરોના ભાવમાં ભારે નુક્સાન થયુ છે. એવામાં આમ આદમી પાર્ટીએ બજેટ સત્રમાં અદાણી ગૃપના મુદ્દે અને આ મામલે રિસર્ચ ફર્મ હિંડસબર્ગની રિપોર્ટ પર ચર્ચાની માગ કરી છે. આ પક્ષોએ બજેટ સત્રની પૂર્વ સંધ્યા પર સોમવારે સંસદીય દળના કાર્યમંત્રી પ્રહલાદ જોશી દ્વારા બોલાવામાં આવેલા સર્વદળીય બેઠકમાં આ મામલો ઉઠાવાામાં આવ્યો હતો.

AAP ની માગને અન્ય પક્ષોનું સમર્થન
આપના રાજ્યસભા સાસંદ સંજય રિંહએ સર્વદળીય બેઠક બાદ પત્રકારોને કહ્યુ કે, તેમણે સરકાર પાસે આગામી સત્રમાં અદાણી હિંડસબર્ગ મુદ્દા પર ચર્ચાની કરવાનો આગ્ર કર્યો છે. આપ નેતાએ દાવો કર્યો છે. રાજદ, ભાકપા, માકપા અે દ્રમુક જેવી પાર્ટીઓએ પણ અદામી મુદ્દે ચર્ચાની માગ કરી છે.
તૃણમુલ કોગ્રેસના નેતા સુદીપ બંધોપાધ્યયે મીડિયા કર્મીઓને કહ્યુ કે, જો અદાણીન મુદ્દો બિજનેશ એડવાઇજરી કમેટીની બેઠકમાં આવે છે તો તેને તે સંસદમાં ઉઠાવશે. ટીએમસી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બનેલી બીસીસી ડોક્યુમેન્ટ્રીના પ્રદર્શન પર રોક લગાવાના મુદ્દાને પણ ઉઠાવ્યો હતો. બંધોપાધ્યાયએ આ વાત પર નિરાશા વ્યક્ત કરી હતી. કે, બેરોજગારો અને મહિલા સશક્તિકરણ જેવા મુદ્દે સાસંદમાં નથી ઉઠાવામાં આવતા, બહુજન સમાજ પાર્ટીએ ચીની ઘુસણખોરીનો મુદ્દો ઉઠાવ્યો છે અને સંસદમાં તેના પર ચર્ચાની માગ કરી છે.
બેઠકમાં કોગ્રેસ પાર્ટીની અનુપસ્થિતિ વિશે પુછવામાં આવતા જોશીએ કહ્યુ કે, તેમણે લેખિત રૂપમાં માહિતી આપી હતી કે, ખરાબ હવામાને લીધે તે કાશ્મીરમાં ફસાયા છે. અને મંગળવારે તેમના સાથે અલગથી તેમની સાથે મુલાકાત કરશે. સોમવારે સર્વદળીય બેઠખમાં 27 પાર્ટીઓના કુલ 37 નતાઓએ ભાગ લીધો હતો.












Click it and Unblock the Notifications
