દિલ્લીમાં મેયરની ચૂંટણીના હંગામા પછી રસ્તા પર ઉતર્યા AAP કાર્યકર્તા, LG Houseની બહાર જોરદાર વિરોધ
દિલ્લી એમસીડીમાં પ્રિસાઈડિંગ ઑફિસરની નિયુક્તિને લઈને આમ આદમી પાર્ટીએ એલજી હાઉસની બહાર જોરદાર પ્રદર્શન કર્યુ.
AAP protests outside Delhi LG House: દિલ્લી એમસીડીમાં પ્રિસાઈડિંગ ઑફિસરની નિયુક્તિને લઈને આમ આદમી પાર્ટીએ એલજી હાઉસની બહાર જોરદાર પ્રદર્શન કર્યુ. આપ કાર્યકર્તાઓએ આ નિયુક્તિને ગેરબંધારણીય ગણાવી. તેમણે આ નિયુક્તિને પાછી લેવાની માંગ કરી. વળી, રાજઘાટ પર ભાજપે વિરોધ પ્રદર્શન કર્યુ.
દિલ્લી મેયર ચૂંટણી દરમિયાન થયેલા હંગામાને લઈને ભાજપે આમ આદમી પાર્ટી પર ગુંડાગિરી કરવા અને બંધારણનુ અપમાન કરવાનો આરોપ લગાવ્યો. આમ આદમી પાર્ટીએ શનિવારે દિલ્લી એલજી હાઉસની બહાર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. આમ આદમી પાર્ટીના કાર્યકરો 'એલજી સાહેબ શરમ કરો, બંધારણની હત્યા બંધ કરો' લખેલા પેપરો લીધા હતા.
આ પ્રદર્શનમાં 'આપ'ના ઘણા મોટા નેતાઓ અને વરિષ્ઠ કાર્યકરો હાજર રહ્યા હતા. બધાએ દિલ્લી એમસીડીમાં પ્રિસાઇડિંગ ઑફિસરની નિમણૂકનો વિરોધ કર્યો. બીજી તરફ ભાજપે પણ રાજઘાટ નજીક વિરોધ પ્રદર્શન કર્યુ, દિલ્હી મેયરની ચૂંટણી દરમિયાન થયેલા હોબાળાને લઈને આપ પર 'ગુંડાગીરી'નો આરોપ લગાવ્યો.