AAP કોંગ્રેસની જગ્યા લઈ લેશે, 2024માં ભાજપને પડકાર આપશેઃ રાઘવ ચડ્ડા
AAP કોંગ્રેસની જગ્યા લઈ લેશે, 2024માં ભાજપને પડકાર આપશેઃ રાઘવ ચડ્ડા
પાંચેય રાજ્યોની વિધાનસભા ચૂંટણી સંપન્ન થયા બાદ હવે પરિણામનો ઈંતેજાર થઈ રહ્યો છે. 10 માર્ચે એટલે કે ગુરુવારે તમામ પાંચેય રાજ્ય ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં મતગણતરી શરૂ થશે, જે બાદ તસવીરો સ્પષ્ટ થઈ જશે. જો કે એક્ઝિટ પોલમાં પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતી જોવા મળી રહી છે, જો એવામાં રિઝલ્ટ બાદ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બને છે તો દેશમાં દિલ્હી બાદ પંજાબ બીજું રાજ્ય હસે જ્યાં આમ આદમી પાર્ટી પોતાની સરકાર ચલાવશે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના પંજાબ સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ કરોડો લોકોની ઉમ્મીદ છે.
અમે 2 રાજ્યોમાં સરકાર બનાવી રહ્યા છીએ
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર પર મોહાલીમાં પોતાના નેતા રાઘવ ચઢ્ઢાએ પોતાના નિવેદનમાં કહ્યું કે પંજાબની ચૂંટણીથી માલૂમ પડે છે કે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય રાજનૈતિક તાકાતના રૂપમાં ઉભરી છે. કોઈ રાજ્યમાં પોતાની પહેલી સરકાર બનાવવામાં ભાજપને 10 વર્ષ લાગ્યાં હતાં. આપની સ્થાપનાના 10 વર્ષ પણ નથી થયાં અને અમે 2 રાજ્યોમાં સરકાર બનાવી રહ્યા છીએ. આની સાથે જ તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી કોંગ્રેસની જગ્યા લઈ લેશે.
2024માં ભાજપને પડકાર આપશે કેજરીવાલ
જ્યારે 2024ની લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ભૂમિકા પરહ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ કરોડો લોકોની ઉમ્મીદ છે. જો ભગવાન ઈચ્છુક છે અને લોકો અવસર આપે છે તો તેઓ નિશ્ચિત રૂપે એક મોટી ભૂમિકામાં જોવા મળશે, વડાપ્રધાન જલદી જ. તેમણે આગળ કહ્યું કે આમ આદમી પાર્ટી કોંગ્રેસની જગ્યા લઈ લેશે. આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી તરીકે ઉભરી આવી છે. અરવિંદ કેજરીવાલ 2024માં ભાજપ સામે એક પડકારના રૂપમાં ઉભરી આવશે.
આમ આદમી પાર્ટીની લહેર નહીં, 'સુનામી'
સાથે જ ચૂંટણી પરિણામ પર તેમણે કહ્યું કે પંજાબના લોકોએ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની જોડીને ગળે લગાવવાનું મન બનાવી લીધું છે અને ભગવંત માનની જોડીને ગળે લગાવવાનું મન બનાવી લીધું છે. એક્ઝિટ પોલ દેખાડી રહ્યા છે કે આમ આદમી પાર્ટી લહેર નહીં, સૂનામી છે.