મનીષ સિસોદિયાનો ઘટસ્ફોટ : 'આપ'નો ખાત્મો બોલાવવા માંગે છે યોગેન્દ્ર યાદવ
નવી દિલ્હી, 6 જૂન : 'આપ'ના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાએ પત્ર લખીને ઘટસ્ફોટ કર્યો છે કે પાર્ટીના નેતા યોગેન્દ્ર યાદવ ગમે તે રીતે કેજરીવાલ અને 'આપ'નો ખાત્મો બોલાવવા માંગે છે. આ સાથે જ લોકસભા ચૂંટણીમાં ચાર બેઠકોથી સમેટાયેલી આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ ભભૂકીને બહાર આવી રહ્યો છે. સિસોદિયાએ યોગેન્દ્ર યાદવ પર જૂથબાજી અને લોકસભા ચૂંટણીમાં હરિયાણાના નેતૃત્વને ગેરમાર્ગે દોરવાનો આરોપ પણ મૂક્યો છે.
આ અગાઉ પાર્ટીના અનેક નેતાઓએ છેડો ફાડી લીધો છે. ત્યારે હવે પાર્ટીના વરિષ્ઠ નેતા મનિષ સિસોદિયા અને યોગેન્દ્ર યાદવ વચ્ચનો ઝઘડો સામે આવતા 'આપ'ની સ્થિતિ વધારે કફોડી બની છે.
સિસોદિયાનો આરોપ છે કે યોગન્દ્ર યાદવ પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલને નિશાન બનાવી રહ્યા છે, અને પાર્ટીની આંતરિક બાબતોને જાહેર કરીને પાર્ટીને ખતમ કરવા માંગે છે. આ દરમિયાન પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક આજે મળી રહી છે.

સિસોદિયાએ લોકસભા ચૂંટણી બાદ પાર્ટીની સ્થિતિ માટે યોગેન્દ્ર યાદવને જવાબદાર ઠેરવ્યા છે. મનિષ સિસોદિયાએ લખેલો એક પત્ર મીડિયામાં આવતા જ હોબાળો મચી ગયો છે. જેમાં તેમણે પાર્ટીની મુખ્ય રણનીતિકાર કરીકે યોગેન્દ્ર યાદવ પર આરોપ મૂક્યો છે કે તેમના કારણે જ કેજરીવાલે દિલ્હી છોડ્યું છે.
કેજરીવાલ થોડા વર્ષ સુધી દિલ્હીમાં રાજકારણ કરવા માંગતા હતા અને તેઓ લોકસભા ચૂંટણીના વિરુદ્ધ હતા. આ પત્રમાં સિસોદિયાએ એવો પણ આરોપ મૂક્યો છે કે યાદવના વલણથી એવું લાગે છે કે તેઓ પાર્ટીને ખતમ કરી દેવા માંગે છે.
યોગેન્દ્ર યાદવના એક ઇમેલના જવાબમાં આ પત્ર લખાયો છે. જેમાં તેમણે લખ્યું છે, તમારો મુખ્ય આરોપ છે કે અરવિંદ રાજકીય બાબતોની સમિતિનું કહ્યું નથી સાંભળતાં, પરંતુ હું આ વાંચીને આશ્ચ્રય અનુભવું છું કારણ કે જ્યાં સુધી અરવિંદ તમારાથી સહમત હતા ત્યાં સુધી તેઓ લોકતાંત્રિક હતા. સિસોદિયા હાલમાં આ પત્રમાં નવીન જયહિંદ અને યોગેન્દ્ર યાદવના ખટરાગનો ઉલ્લેખ કર્યો છે, જે બાદ નવીન જયહિંદે રાષ્ટ્રીય કાર્યકારિણીમાંથી રાજીનામું આપ્યું.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
