કેજરીવાલને હટાવો 'આપ'માં 'વિશ્વાસ' લાવો

Google Oneindia Gujarati News

aap
નવી દિલ્હી, 6 એપ્રિલ: દિલ્હી વિધાનસભાથી થોડા દિવસ પહેલા જે પાર્ટી અસ્તીત્વમાં આવી હતી, લોકસભા ચૂંટણીના આવતા આવતા હવે તે પાર્ટી તૂટવાના કગાર પર છે. અમે વાત કરી રહ્યા છીએ આમ આદમી પાર્ટીની. લોકસભા ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીમાં બગાવતી સૂર ગૂંજવા લાગ્યા છે. ક્યારેક ટિકિટ વહેંચણી પર પાર્ટીમાં વિરોધ થયો તો ક્યારેક ઉમેદવારોની પસંદગી પર, પરંતુ હવે કેટલાંક કાર્યકર્તાઓએ તો પાર્ટીના સંયોજક કેજરીવાલનો જ વિરોધ કરવાનું શરૂ કરી દીધો છે.

પાર્ટી કાર્યકર્તા કેજરીવાલને સ્થાને કુમાર વિશ્વાસને પાર્ટીના સંયોજક બનાવવાની માંગ કરવામાં આવી રહી છે. કેજરીવાલથી નારાજ કાર્યકર્તાઓએ દિલ્હીમાં મહત્વની બેઠક કરી અને આ માંગની સાથે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવાનો પ્લાન પણ તૈયાર કર્યો છે.

કુમાર વિશ્વાસ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની વિરુધ્ધ ચૂંટણી લડી રહ્યા છે. આવામાં તેમને આશા હતી કે કેજરીવાલ આ હાઇપ્રોફાઇલ બેઠક પર પ્રચાર કરવા જરૂર આવશે, પરંતુ આવું બન્યું નહીં. કુમાર વિશ્વાસનું કહેવું છે કે કેજરીવાલ ચૂંટણી પ્રચાર માટે દરેક સ્થળે ગયા પરંતુ અમેઠીમાં એક વાર પણ જવાનો તેમને સમય મળ્યો નહીં. કુમારનું કહેવું છે કે તેઓ પહેલા વ્યક્તિ છે જેમણે કેજરીવાલનું સમર્થન કર્યું અને તેમના માટે વોટ માંગ્યા.

જોકે કુમાર વિશ્વાસે આ અંગે એક ચેનલના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે 'બની શકે છે કે કેજરીવાલ મને સક્ષમ સમજીને અમેઠીમાં પ્રચાર કરવા નહીં આવ્યા હોય, તેમને મારી પર વિશ્વાસ છે કે વિશ્વાસ એકલો જ જીતીને આવે તેમ છે.'

English summary
The Aam Aadmi Party’s convener Arvind Kejriwal has began to face criticism from even the members of his own party and the interesting part is that they want Kumar Vishwas to be the new organizer of the party instead of Kejriwal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X