For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તલવાર દંપતિએ જ કરી છે આરુષિની હત્યા: CBI

|
Google Oneindia Gujarati News

aarushi murder case
ગાઝિયાબાદ, 16 એપ્રિલ: નોયડાના ખૂબ જ ચર્ચિત આરુષિ હેમરાજ હત્યાકાંડમાં ફરિયાદી પક્ષના સાક્ષી તરીકે રજૂ થયેલા સીબીઆઇના અધિકારીએ ગાઝિયાબાદની વિશેષ કોર્ટને જણાવ્યું કે આરુષિ અને હેમરાજની હત્યા તલવાર દંપતિએ જ કરી છે.

સીબીઆઇના એસપી એજી કૌલે કોર્ટને જણાવ્યું કે રાજેશ અને નૂપુર તલવારે બંનેની હત્યા કરી નાખી કારણ કે તેમના ફ્લેટમાં બહારથી કોઇ ન્હોતું આવ્યું. કૌલે કોર્ટને એ પણ જણાવ્યું કે ફ્લેટમાં દાખલ થવા અને નીકળવા માત્ર એક દરવાજો છે.

આ પહેલા 9 એપ્રિલની સુનવણી દરમિયાન ગુજરાત ફોરેન્સિક સાઇન્સ યુનિવર્સિટીના એક અધિકારીઓ જણાવ્યું હતું કે હત્યામાં સંભવત: ગોલ્ફ સ્ટિક અને સર્જિકલ ચાકૂનો પણ ઉપયોગ કરાયો હતો. અધિકારીઓ પણ જણાવ્યું કે તલવાર દંપતિને છોડીને અન્ય કોઇએ આ હત્યાને અંજામ નહીં આપ્યો હોય.

ફોરેંસિક અધિકારી ડોક્ટર મોહિન્દર સિંહ દહિયાએ દાવો કર્યો કે બંનેની હત્યા આરુષિના બેડરૂમમાં થઇ હતી. દહિયા જેને સીબીઆઇએ રિપોર્ટ તૈયાર કરવા માટે કહ્યું છે, તેમના જણાવ્યા અનુસાર 'તપાસ બાદ મને લાગે છે કે આ હત્યા પાછળ કોઇ બહારની વ્યક્તિનો હાથ હોઇ શકે નહીં.'

English summary
Aarushi-Hemraj murder case: Talwars committed the murders, CBI officer tells court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X